ડોમ્બિવલી-ઈસ્ટના નવનીતનગરમાં રહેતા અને દાદરમાં ગાર્મેન્ટ્સની દુકાનમાં નોકરી કરતા ૩૭ વર્ષના કેયૂર સાવલાનું ગઈ કાલે ટ્રેન-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. થાણે રેલવે-પોલીસે આ ઘટનાનો ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. કેયૂર ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે ડોમ્બિવલીથી ફાસ્ટ ટ્રેન પકડીને દાદર જઈ રહ્યો હતો ત્યારે મુમ્બ્રા અને દિવા વચ્ચેની ટનલ પર તેનું બૅલૅન્સ જતાં તે ટ્રેનમાંથી નીચે પડ્યો હતો. તેના માથામાંથી ખૂબ લોહી નીકળતું જોઈને ત્યાં હાજર લોકોએ તેને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડયો હતો. જોકે હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/06/17.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)