ઘાટકોપરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારી રવિવારે સવારે પરિવાર સાથે મલાડમાં સ્ટેશન રોડસ્થિત જૈન દેરાસરમાં દર્શન ૯ કરવા ગયા હતા. એ દરમ્યાન તેમની પત્નીએ ભગવાનનાં દર્શન યોગ્ય રીતે કરવા માટે પોતાની બેગ સાઇડમાં મૂકી હતી. ત્યારે અજાણ્યા ચોરે તેમની બૅગની ચોરી કરી હતી. એમાં આશરે એક લાખ રૂપિયાના દાગીના અને ૫૦૦૦ રૂપિયા જેવી રોકડ રકમ હતી. મલાડ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઘાટકોપરમાં એલબીએસ માર્ગ પર ગંગાવાડી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને સાંતાક્રુઝમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૩૩ વર્ષના કેતન પટેલે કરેલી ફરિયાદ અનુસાર રવિવાર, ચોથી ફેબ્રુઆરીએ સવારે સાડાદસ વાગ્યે તેઓ પત્ની ફોરમ અને પુત્રો સાથે મલાડના સ્ટેશન રોડ પર જૈન દેરાસરમાં દર્શન કરવા માટે ગયા હતા. એ દરમ્યાન તેમની પત્નીએ દેરાસરમાં પૂજારૂમની સામે સફેદ – ટેબલ પર પોતાના હાથમાં રહેલી લીલા રંગની બૅગ મૂકી હતી. એમાં સોનાની બુટ્ટીઓની એક જોડી અને સોનાની વીંટી સહિત ૫૦૦૦ રૂપિયાની રોકડ રાખવામાં આવી હતી.
પૂજા કર્યા બાદ ટેબલ પર મૂકેલી બૅગ લેવા જતાં એ મળી નહોતી. ત્યાર બાદ દેરાસરમાં બૅગની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ એ ક્યાંય મળી આવી નહોતી. અંતે એ બૅગ ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં આ ઘટનાની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY