September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

સાવધાન… જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો…

વાઈરલ થઈ રહેલાં આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘરમાં હાલમાં જ સંપન્ન થયેલાં આ ખુશહાલી પ્રસંગે મુકેશ અંબાણી રિલાયન્સ જિયો યુઝર્સને ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે. આ મેસેજ હિંદીમાં હોઈ ફ્રી રિચાર્જ મેળવવા માટે એક લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે આ મેસેજ પાછળની સચ્ચાઈ…

મળી રહેલી માહિતી પ્રમાણે આ મેસેજ સદંતર ફેક હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સ જિયો દ્વારા આવી કોઈ ઓફર યુઝર્સને આપવામાં નથી આવી અને વાઈરલ થઈ રહેલો આ મેસેજ ફેક હોઈ તેના પર વિશ્વાસ નહીં કરવાની અપીલ પણ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવી રહી છે. આ મેસેજમાં 12મી જુલાઈના રોજ અનંત અંબાણીના લગ્ન નિમિત્તે મુકેશ અંબાણી દેશભરના જિયો યુઝર્સને ત્રણ મહિના માટે 799 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવશે. આ માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવ્યું છે. આ મેસેજમાં મહાકેશબેક નામની અજાણી સાઈટની લિંકનો સમાવેશ થાય છે.

સાઈબર એક્સપર્ટ્સ દ્વારા પણ યુઝર્સને આવી કોઈ પણ શંકાસ્પદ લાગતી લિંક પર ક્લિક નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. જિયો યુઝર્સે ઓફિશિયલ માય જિયો એપ પર કે પછી ગૂગલ પે જેવી વિશ્વસનીય ઓનલાઈન એપની મદદથી જ રિચાર્જ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વાઈરલ ફેક મેસેજમાં ફેક લિંક આપવામાં આવી છે. આવી ફેક લિંક પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ પણ ખાલી શઈ શકે છે, એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.

વોટ્સએપ પર ફેક કે સ્કેમ મેસેજ ઓળખીને આપણે કોઈ પણ ફ્રોડ કે સ્કેમનો ભોગ બનતાં બચી શકીએ છીએ. વાત કરીએ કે વોટ્સએપ કે એસએમએસમાં આવેલા મેસેજ સાચા છે કે ખોટા એ કઈ રીતે ઓળખવાની તો આ માટે સૌથી મહત્ત્વની વાત એટલે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર ક્લિક કરવાનું ટાળો. એમાં પણ ખાસ કરીને એવા મેસેજ પર કે જેના પર લિંક પર ક્લિક કરવાની સૂચના આપવામાં આવી હોય. આવા મેસેજ ફેક હોઈ શકે છે અને એવા મેસેજ ફોર્વર્ડ કરવાનું પણ ટાળો.

સાઈબર ક્રિમીનલ લોકોને છેતરવા માટે નિતનવા ગતકડાં અજમાવતા હોય છે અને લોકો એનો ભોગ બનતા હોય છે. દેશમાં હાલમાં સૌથી વધુ ઓનલાઈન ફ્રોડના કેસ નોંધાઈ રહ્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us