September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા શ્રી જલારામ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા શ્રી જલારામ પાટોત્સવ સવંત ૨૦૮૦ ના ચૈત્ર સુદ ૯ ના રામનવમી બુધવાર તા. ૧૭ એપ્રિલ ૨૦૨૪ સપરમા દિવસે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ બાપા મંદિર સાંઈ આશાદીપ સોસાયટીની બાજુમાં, રવિ એપાર્ટમેન્ટની સામે, સેવારામ લાલવાણી રોડ, મુલુન્ડ (વે), મુંબઈ – 80 ખાતે કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ દરમ્યાન થનારા કાર્યક્રમોમાં અનુક્રમે નૂતન ધ્વજારોહણ સવારે ૯.૦૦ કલાકે, હોમ હવન પં.શ્રી જય કિશન મહારાજના સાંનિધ્યમાં સવારના – ૧૦.૦૦ થી ૧.૦૦ સુધી કરવામાં આવ્યું હતું. ત્રિમૂર્તિ દર્શન તથા દળિયા પ્રસાદની સેવા આખો દિવસ ચાલુ રાખવામાં આવી હતી.

ભક્તિ સંગીતમાં ભજન આરાધક શ્રી ઋષભ નાથજી મહારાજ (વિરાર) સાંજના 6 થી 10 શ્રી જલારામ બાપા તથા શંકરભોલેના ભજન અને રાસ ગરબા આદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ અસંખ્ય ભક્તોએ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન શ્રી જમનાદાસ ડોસાભાઈ ગણાત્રાના હસ્તે સોલર પેનલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મુલુંડના તમામ સામાજિક તથા રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પધાર્યા હતા અને દર્શન તથા પ્રસાદરૂપી ભોજનનો લાભ લીધો હતો. સવારના ફરાળી પ્રસાદના દાતાશ્રી વિજયાબેન પ્રાગજી પવાણી પરિવાર, સાંજના પ્રસાદના દાતાશ્રી સ્વ. નિર્મળાબેન પુરષાત્તમ કાનજી ગણાત્રા પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો. મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સુવિધા કેટરર્સ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના ટ્રસ્ટીગણ, કારોબારી સભ્ય, તથા કાર્યકર્તાઓ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. શ્રી જલારામ ડેન્ટલ ક્લિનિકનું ઉદઘાટનનો કાર્યક્રમ તા. 10/ 05/2024 ને શુક્રવારે અખાત્રીજના દિવસે રાખેલ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા શ્રી જલારામ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us