થાણેમાં ત્રણ મહિના પહેલા જેલમાંથી બહાર આવેલા અને ફરી લૂંટ કરનારા બે રીઢા આરોપીઓને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રુ. ૧૭.૨ લાખની ચોરાયેલી કિંમતની માલમત્તા જપ્ત કરી હતી. થાણે પોલીસને મળતી માહિતીના આધારે કામગીરી કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉલ્હાસનગરમાં  છટકું ગોઠવીને આરોપી અનિલ કૃષ્ણ શેટ્ટી (ઉ.વ. ૪૩) અને રમેશ વિજયકુમાર જયસ્વાલ (ઉ.વ. ૪૭) ની ધરપકડ કરી.

આ બંને  આરોપીઓ  અંબરનાથ બાલગાંવના રહેવાસી હતા.તેમજ બંને  અગાઉ લૂંટના ગુનામાં પકડાયેલા હતા અને ત્રણ મહિના પહેલા જ જેલમાંથી છૂટયા હતા.  ઉલ્હાસનગર, નૌંપાડા, બદલાપુર, શિવાજી નગર, વિઠ્ઠલવાડી અને ડોંબિવલીમાં લૂંટમાં સંડોવાયેલા બંને પાસેથી  રુ. ૧૭.૨ લાખની કિંમતની લૂંટની માલમત્તા મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી હતી. પોલીસના માહિતી અનુસાર આ બંને આરોપીઓ પર મુંબઈમાં કુલ પાંચ કેસો તેમના નામે નોંધાયેલ છે. પોલીસ દ્વારા આ મામલામાં બંને આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us