September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

હાર્બર લાઈનના પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો

મધ્ય રેલવેના હાર્બર લાઇનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ લાઇનમાં ઊરણ સુધી લોકલ સેવાને શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં અનેક મોટા પ્રોજેક્ટ્સને લીધે હાર્બર લાઇન રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ જરુરી સર્વિસ નહીં વધતા પ્રવાસીઓને ટ્રેનોમાં અવરજવર કરવામાં હાલાકી વધી રહી છે.

એક અહેવાલ મુજબ હાર્બર લાઇનના પનવેલ સ્ટેશન પર દિવસના લગભગ અઢી લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે તેમ જ અન્ય સ્ટેશનો પર પણ એક લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જોકે પ્રવાસીઓની સંખ્યામાં વધારાની સાથે લોકલની ટ્રેન સેવામાં વધારો થયો નથી, જેને લીધે પ્રવાસીઓમાં નારાજગી છે. ફાસ્ટ કોરિડોરની સાથે એસી લોકલની સુવિધાથી વંચિત રહેતા હોવાથી વધતા પ્રવાસીઓની સંખ્યાને કારણે હાલાકી વધી છે.

હાર્બર લાઇનનું પનવેલ સૌથી મહત્ત્વનું સ્ટેશન બન્યું છે. પનવેલથી 8.6 કિલોમીટર દૂર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પનવેલ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક પ્રકલ્પો નિર્માણ થવાને લીધે પનવેલથી મુંબઈ જતી લોકલ ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ગયા વર્ષના આંકડા મુજબ પનવેલ સ્ટેશનથી રોજે 2.45 લાખ જેટલા પ્રવાસી પ્રવાસ કરતાં હતા. આ આંકડા 2024માં વધીને અઢી લાખ કરતાં વધુ થઈ ગયા છે, જેથી 17 હજાર જેટલા પ્રવાસી વધ્યા હતા.

પનવેલ સાથે ઐરોલી, માનખુર્દ, સીબીડી બેલાપુર, વડાલા રોડ અને ગોવંડી જેવા સ્ટેશન પરથી રોજે એક લાખ કરતાં પ્રવાસીઓ મુસાફરી કરે છે. આ રેલવે લાઇનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે પણ ટ્રેનની સેવામાં વધારો નહીં કરવામાં આવતા પ્રવાસીઓની નારાજગીમાં વધારો થયો છે.

હાર્બર લાઇનમાં માત્ર સિંગલ સ્લો લાઈન હોવાને કારણે ફાસ્ટ લોકલની સેવા દોડાવવામાં આવતી નથી તેમ જ માર્ગમાં એસી ટ્રેનનું પરીક્ષણ કરવાં આવ્યું હતું પણ પ્રવાસીઓના નબળા પ્રતિસાદને લીધે એસી ટ્રેન રદ કરવામાં આવી હતી. જોકે હવે આ માર્ગમાં ફરી એસી લોકલ શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

One thought on “હાર્બર લાઈનના પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us