આગ્રા ખાતેનો રહેવાસી રામ મંદિર પર હુમલો કરશે એવો ફોન મુંબઈ પોલીસ નિયંત્રણ કક્ષને મળ્યા બાદ તમામ યંત્રણા સતર્ક થઈ હતી. આ બાબતે તમામ યંત્રણાઓને માહિતી આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિએ આપેલા મોબાઈલ નંબરને અનુસરતા તપાસ શરૂ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે પોલીસ નિયંત્રણ કક્ષને સોહમ પાંડે નામના વ્યક્તિએ ફોન કર્યો અને સોહેલ કુરેશી નામનો વ્યક્તિ રામ મંદિર પર હુમલો કરશે એમ જણાવ્યું હતું. આગ્રાથી મુંબઈના પ્રવાસ દરમિયાન પોતાને આ માહિતી મળી હોવાનું એણે સ્પષ્ટ કર્યું હતું. કુરેશી આગ્રા ખાતેના અદપૂતપૂરનો રહેવાસી છે. ઉપરાંત ફોન કરનાર વ્યક્તિએ કુરેશીનો મોબાઈલ નંબર અને એક આરપીએફ કર્મચારીનો મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યો હતો. આ માહિતી તમામ યંત્રણાને આપવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp