શું તમે પણ ડાયાબિટીસના દર્દી છો અને દાળ ખાતા પહેલા વિચારતા નથી. કારણ કે કેટલીક દાળ તમારા બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે. આવો જાણીએ કઈ દાળ ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.
ડાયાબિટીસના દર્દીઓએ ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવાનું જરૂરી હોય છે. વિવિધ દાળ પ્રોટીન, ફાઇબર અને ઘણા પોષક તત્વોનો સારો સોર્સ છે, તેથી દાળનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલીક દાળના સેવનથી બ્લડ સુગર પર અસર પડી શકે છે. એટલું જ નહીં ડાયાબિટીસના દર્દી જો કેટલીક દાળનું સેવન કરે તો તેનાથી હાઈ બ્લડ સુગર હોવાની સાથે-સાથે અન્ય બીમારીનો પણ ખતરો વધુ રહે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓએ કઈ દાળનું સેવન ન કરવું જોઈએ, જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે.
ડાયાબિટીસમાં કઈ દાળ ન ખાવી જોઈએ?
નવી દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિનના ચેરપર્સન ડો. અતુલ કકર જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ પ્રોટીન, ફાઇબર, વિટામિન યુક્ત દાળનું સેવન કરવું જોઈએ, પરંતુ કેટલીક દાળથી દૂર રહેવું જોઈએ. જાણો તેના વિશે…

1. અળદ દાળ
અળદ દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડો. અતુલ કકર પ્રમાણે અળદની દાળમાં કાર્બોહાઇડ્રેટ પણ સારી માત્રામાં હોય છે. જો અળદની દાળનું વધુ સેવન કરવામાં આવે તો તેનાથી બ્લડ સુગર વધવાનો ખતરો રહે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી.
2. ચણા દાળ
ચણા દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ વધુ માત્રામાં ખાવાથી કાર્બોહાઇડ્રેટનું સેવન વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ચણાની દાળ ખાતા પહેલા તેની માત્રાનું જરૂર ધ્યાન રાખવું જોઈએ.
3. તુવેરદાળ
તુવેર દાળ ભારતીય ઘરોમાં સૌથી વધુ ખાવામાં આવે છે. તુરેવદાળ પૌષ્ટિક હોય છે, પરંતુ તેના સેવનથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીસના દર્દી જો દરરોજ આ દાળનું સેવન કરે તો તે ઇંસુલિન બનવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરે છે. તેનાથી બ્લડ સુગર લેવલ વધે છે અને ડાયાબિટીસના દર્દીની પરેશાની વધી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને દાળ ખાવા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવાની સલાહ ડોક્ટર આપે છે, જેથી બ્લડ સુગર લેવલ વધે નહીં.
- દાળની સાથે લીલા શાકભાજી અને સલાડ સામેલ કરો.
- એકવારમાં વધુ માત્રામાં દાળનું સેવન ન કરો.
- દાળના વઘારમાં વધુ તેલ કે ઘીનો ઉપયોગ ન કરો.
ડો. અતુલ કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ દાળ છોડવાની જરૂર નથી. પરંતુ યોગ્ય માત્રા અને સંતુલિત આહારની સાથે દાળનું સેવન કરવું તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
