આંખનું કેન્સર ત્યારે થાય છે જ્યારે આંખની અંદર રહેલા સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે. આ સમસ્યા આંખના અલગ-અલગ હિસ્સા જેમ કે રેટિના, આઇરિસ કે યુવિયામાં થઈ શકે છે.
આંખમાં સતત દુખાવો રહેવો, ઝાંખુ દેખાવું કે નજર નબળી લાગવી ઘણા લોકો સામાન્ય થાક સમજી નજરઅંદાજ કરે છે. પરંતુ એક્સપર્ટ માને છે કે કેટલાક મામલામાં આ લક્ષણ આંખનું કેન્સર એટલે કે આઈ કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે. પરંતુ આ બીમારી ખુબ સામાન્ય નથી, પરંતુ સમય પર ઓળખ ન થવા પર તે આંખની રોશની જ નહીં, જીવનો ખતરો પણ બની શકે છે.
શું આંખોની રોશની બચાવી શકાય છે?
આંખ વિશે જાણકારી આપનારી સંસ્થા Centreforsight અનુસાર આઈ કેન્સર ત્યારે થાય છે જ્યારે આંખની અંદર રહેલા સેલ્સ અનકંટ્રોલ રીતે વધવા લાગે છે. આ સમસ્યા આંખના અલગ-અલગ હિસ્સા જેમ કે રેટિના, આઇરિય સે યુવિયામાં થઈ શકે છે. રિસર્ચ જણાવે છે કે જો બીમારી શરૂઆતી તબક્કામાં પકડમાં આવી જાય તો સારવાર વધુ અસરકારક રહે છે અને આંખની રોશની બચાવવાની સંભાવના વધી જાય છે.

કેટલા પ્રકારના હોય છે આઈ કેન્સર?
આઈ કેન્સર ઘણા પ્રકારના હોય છે. તેમાં ઇન્ટ્રાઓક્યુલર મેલાનોમા વયસ્કોમાં સૌથી વધુ જોવા મળે છે. તેના લક્ષણોમાં જોવામાં સમસ્યા, કીકી પર કાળી ફોલ્લીઓ થવી કે કીકીના આકારમાં ફેરફાર સામેલ છે. તો રેટિનોબ્લાસ્ટોમા નામનું કેન્સર નાના બાળકોમાં વધુ જોવા મળે છે.
શું હોય છે તેના લક્ષણ?
એક્સપર્ટ કહે છે કે આંખમાં થનાર કેટલાક ફેરફારને હળવાશથી ન લેવા જોઈએ. જો સતત ઝાંખુ દેખાય, સીધી લાઇનો વાંકી દેખાવા લાગે, આંખની કીકીનો આકાર બદલાઈ જાય કે જોવાનું વર્તુળ ઓછું થઈ જાય તો તત્કાલ તપાસ કરાવવી જોઈએ. ઘણા મામલામાં આંખની આસપાસ સોજા, ગાંઠ કે સતત લાલિમા પણ ગંભીર સંકેત હોઈ શકે છે.
શું આઈ કેન્સરથી આંખમાં દુખાવો થાય છે?
ખાસ વાત છે કે આઈ કેન્સર શરૂઆતી સ્ટેજમાં હંમેશા દુખાવો આવતો નથી. આ કારણ છે કે ઘણા લોકો વિલંબથી ડોક્ટર પાસે પહોંચે છે. એક્સપર્ટનું માનવું છે કે નિયમિત આઈ ચેકઅપ આ બીમારીને સમય રહેતા પકડવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. ખાસ કરી તે લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે જેની આંખ હળવા રંગની હોય કે પરિવારમાં કેન્સરનો ઈતિહાસ રહ્યો હોય. રિસર્ચમાં તે પણ સામે આવ્યું કે લાંબા સમય સુધી ભારે અલ્ટ્રાવાયલેટ કિરણોના સંપર્કમાં રહેવું, સ્મોકિંગ, વધુ દારૂ અને હાનિકારક કેમિકલ્સ યુક્ત વાતાવરણમાં કામ કરવું આંખના કેન્સરનું જોખમ વધારી શકે છે. તો વધતી ઉંમરને કારણે પણ તેનું જોખમ વધે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
