
થાણે મહાનગરપાલિકાએ એર પોલ્યુશન કન્ટ્રોલના નિયમોનું પાલન કરવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી છે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ બિલ્ડરો શો કોઝ નોટિસના સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ જશે તો તેમને તેમની સાઇટ્સ પર કામ બંધ કરવાનું કહેવામાં આવશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
વધુ જાણકારી આપતા પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટીએમસીએ 297 બિલ્ડરોને ધૂળ પ્રદૂષણ નિયંત્રણ માર્ગદર્શિકાનું પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. આમાંથી 31 બિલ્ડરે સંપૂર્ણ પણે પાલન કર્યું હતું, જ્યારે 151 બિલ્ડરોને નાની-મોટી ભૂલ બદલ કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમે 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને તેમને ઉલ્લંઘન માટે સાઇટ્સ પર કામ બંધ કરવાની સંભાવના જણાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
