મુંબઈમાં એક તરફ હરિયાળી ક્રાંતિ દ્વારા વૃક્ષારોપાણની ઝુંબેશ માટે મહાપાલિકા દ્વારા પર્યાવરણને સંતુલન રાખવાના પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાથી ઘાટકોપર નજીક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર 500થી વધુ ઝાડ પર વિષપ્રયોગ કરીને કતલ કર્યાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે.
વૃક્ષોને ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખવાના કથિત અહેવાલોને પગલે ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ શનિવારે મનપા અધિકારીઓ સાથે ઉપરોક્ત સ્થળની મુલાકાત લીધી હતી અને નાગરિકો તથા પોલીસને વિનંતી કરી હતી કે આ મામલે સંડોવાયેલા લોકો સામે કડક પગલાં ભરવામાં આવે. સોમૈયાએ આ મામલે કહ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ અમુક અઠવાડિયાથી ચાલતી હતી. મેં સંબંધિત અધિકારીઓને પગલાં લેવા તેમજ આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરીશ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
One thought on “ઘાટકોપર નજીક હાઈવે પર વિષપ્રયોગથી 500થી વધુ ઝાડની કતલ”