
મુંબઈ ગોવા હાઈવે પર કરનાળા ઘાટ નજીક પુરપાટ જતા ટ્રેલરમાંથી એક કન્ટેનર નજીકની કાર પર પડતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુલુંડના રહેવાસી કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો કારમાં સવાર ૫૬ વર્ષીય વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
વિગત મુજબ, આ અકસ્માતમાં મુલુંડના રહેવાસી ૩૨ વર્ષીય જગદીશ હાજરાનું મોત નીપજ્યું હતું. તો ૫૬ વર્ષીય પલ્લવી જોશી ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાજરા જોશીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આ ઘટના બની ત્યારે બંને કારમાં સવાર થઈને પોયનાડથી મુલુંડ ઘરે પરત ફરી રહ્યા હતા.
ઘટના મુજબ, સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર કરનાળા ઘાટ પાસે પહોંચી હતી. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા પુરપાટ ટ્રેલરમાંથી એક કન્ટેનર અચાનક તેમની કાર પર પડયું હતું. જેથી કારમાં સવાર ડ્રાઈવર કન્ટેનર કારમાં પડતા જ કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળની સીટમાં સવાર પલ્લવી જોશી ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બાદ બંનેેને કારમાંથી બહાર કાઢ્યા હતા અને ઘાયલને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આ અકસ્માત બાદ ટ્રેલર ચાલક કોઈ પણ સહાય કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેથી પોલીસે આ મામલે ટ્રેલર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
