કાંદિવલી એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત ગુજરાતી ભાષા ભવનના સૌજન્યથી આવતી કાલે સાંજે કાંદિવલીમાં કવિ મુકેશ જોષી દ્વારા લેખિત પ્રવાસવર્ણનના પુસ્તક ‘પ્રવાસનો શ્વાસ’ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા સાહિત્યકાર ડૉ. દિનકર જોષી દ્વારા લોકાર્પણ થશે. આ પુસ્તક આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રા વિશે લખાયેલું છે. કાર્યક્રમમાં નાટ્યકલાકારો સનત વ્યાસ, મેહુલ બૂચ, પ્રીતા પંડ્યા અને કવિ હિતેન આનંદપરા પુસ્તકમાંથી અમુક અંશનું પઠન કરશે તથા સ્વરકાર અને ગાયક સુરેશ જોષી તેમ જ ઉપજ્ઞા પંડ્યા ગીતોની પ્રસ્તુતિ કરશે. વાદ્યસંગતની ભૂમિકા પ્રતીક શાહ અને હેમાંગ વ્યાસ ભજવશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ સંજય પંડ્યા કરશે. પુસ્તક, સાહિત્ય અને પ્રવાસપ્રેમીઓને જાહેર આમંત્રણ છે. સ્થળ : કેઈએસ ઇન્ટરનૅશનલ સ્કૂલ, ઈરાની વાડી નંબર ૪, એશિયન બેકરીની સામેની ગલીમાં, કાંદિવલી (વેસ્ટ). સમય : સાંજે ૫.૩૦ વાગ્યે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1