અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી પૂજા-પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તો ચાલો જાણીએ અપરા એકાદશીની શુભ તિથિ, મુહૂર્ત અને મહત્ત્વ વિશે.
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરવાથી સુખ-શાંતિ મળે છે. જ્યોતિષીઓ અનુસાર, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મહાપાપોથી મુક્તિ મળી જાય છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/27-1024x615.jpg)
જ્યોતિષીઓ અનુસાર, અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જણાવી દઇએ કે અપરા એકાદશીને લઇને બધા લોકોમાં મૂંઝવણ છે કે અપરા એકાદશી ક્યારે છે. તો આજે અમે તમને જણાવીશું કે અપરા એકાદશી ક્યારે છે, શુભ તિથિ શું છે, મુહૂર્ત શું છે અને મહત્ત્વ શું છે.
ક્યારે છે અપરા એકાદશી
વૈદિક પંચાંગ અનુસાર, અપરા એકાદશીનું વ્રત 2 જૂન 2024ના દિવસે રવિવારે રાખવામાં આવશે. એકાદશી તિથિની શરૂઆત 2 જૂને સવારે 5 વાગીને 05 મિનિટે થશે અને સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોમવારે મધ્ય રાત્રિએ 2 વાગીને 42 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર, અપરા એકાદશી 2 જૂને ઉજવવામાં આવશે.
પારણાનો શુભ સમય
વૈદિક પંચાંગ અનુસાર, અપરા એકાદશીનો પારણાનો શુભ સમય 3 જૂને સવારે 8 વાગીને 51 મિનિટથી લઇને સવારના 10 વાગીને 35 મિનિટ સુધી છે. આ શુભ મુહૂર્તમાં એકાદશી પર્વના પારણા કરી શકો છો.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/04-7.jpg)
અપરા એકાદશી પૂજાનું શુભ મુહૂર્ત
અપરા એકાદશીના દિવસે ચોઘડિયાનું શુભ મુહૂર્ત સવારના 07 વાગીને 07 મિનિટથી લઇને સવારે 08 વાગીને 51 મિનિટ સુધી છે. તે બાદ લાભ ચોઘડિયું સવારના 08 વાગીને 51 મિનિટથી લઇને સવારે 10 વાગીને 35 મિનિટ સુધી છે. તે બાદ અમૃત ચોઘડિયુ સવારના 10 વાગીને 35 મિનિટથી લઇને બપોરે 12 વાગીને 19 મિનિટ સુધી છે.
અપરા એકાદશીનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેના પર ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. સાથે જ તેના પર પોતાની કૃપા રાખે છે. જીવનની દરેક સમસ્યાઓ દૂર કરે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ આવે છે. વૈવાહિક જીવન ખુશહાલ રહે છે. તમામ કાર્યોમાં સફળતા મળે છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/62-18.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)