મુખ્ય મંત્રી કાર્યાલયમાં આગળની કાર્યવાહી કરવા માટે આવેલાં અમુક નિવેદનો પર મુખ્ય મંત્રી એકનાથ શિંદેની બનાવટી સહીઓ તેમ જ સિક્કા હોવાનું ધ્યાનમાં આવતાં મુખ્ય મંત્રી સચિવાલયના ધ્યાનમાં આવ્યું હતું. તે પછી હવે મરીન લાઈન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મુખ્ય મંત્રીની સહી સાથે ટિપ્પણી કરેલાં નિવેદનો અને પત્રો આગળની કાર્યવાહી માટે ઠેકઠેકાણે મુખ્ય મંત્રી સચિવાલયને પ્રાપ્ત થાય છે. આ નિવેદનોની ટપાલ શાખામાં નોંધ થઈને ટી-ઓફિસ પ્રણાલીમાં નોંધ કર્યા પછી સંબંધિત પ્રશાસકીય વિભાગોને મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us