મુલુંડ (વે)માં શ્રી ગોવર્ધનનગર વિણાનગર શ્વે.મૂ. તપા. જૈન સંઘમાં વિ.સં. ૨૦૮૦ અષાઢ સુદ ૧૩, શુક્રવાર, તા.૧૯-૭-૨૦૨૪ના સવારે ૬.૧૫ કલાકે ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે સર્વેને પધારવા આમંત્રણ છે. ગચ્છસ્થવિર વર્ધમાન તપોનિધી પ.પૂ.આ.ભ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજયશ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન, પ.પૂ.આ.ભ. રવિશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. પંન્યાસ શ્રી ઈંદ્રશેખરવિજયજી ગણિવર્ય, પૂ. મુનિરાજ મણીશેખરવિજયજી તેમજ પૂ. સાધ્વીજી કૈવલ્યરત્નાશ્રીજી મ.સા. આદિ સાધુ-સાધ્વી ભગવંતો શુક્રવારે સવારે દેવીદયાલ રોડ, શ્રી આદિશ્વર દાદાના દેરાસરથી પ્રવેશયાત્રા શરૂ થશે જે એલ.બી.એસ. રોડથી વિણાનગર ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે પ્રવેશ બરાબર ૭.૧૫ કલાકે થશે. ત્યારબાદ માંગલિક પ્રવચન આશિષ જાખરીયા સાથે સંગીતમય ભક્તિનો કાર્યક્રમ તેમજ જાહેરાતો ઈત્યાદિ થશે. ત્યારબાદ શ્રી સંઘમાં પધારેલા મહેમાનોની નવકારશી ભક્તિ રાખવામાં આવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw