July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

BMCએ મુલુંડનાં ત્રણ બિલ્ડિંગનાં લાઇટ-પાણી કાપી નાખ્યાં

વિક્રોલીની દુર્ઘટના બાદ BMCએ મુલુંડનાં ત્રણ બિલ્ડિંગનાં લાઇટ-પાણી કાપી નાખ્યાં છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ વર્ષે ૧૮૮ બિલ્ડિંગોને સી-૧ કેટેગરીમાં મૂકવામાં આવ્યાં છે. એનો અર્થ એ થયો કે આ બધાં જ બિલ્ડિંગો રહેવા માટે અત્યંત જોખમી છે. ગયા અઠવાડિયે ગુરુવારે વિક્રોલી બિલ્ડિંગ દુર્ઘટનામાં બે સિનિયર સિટિઝનોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ શુક્રવારે મુલુંડ BMCના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ ઍક્શન મોડમાં આવીને ત્રણ બિલ્ડિંગનાં લાઈટ અને પાણીમાં કનેક્શન કાપી નાખ્યાં હતાં. એકાએક આવી ગરમીમાં પાણી અને લાઇટ કપાઈ જતાં અહીંના પાઘડીના બિલ્ડિંગમાં રહેતા આશરે ૨૦૦ લોકો નિરાધાર બની ગયા હતા.

BMC દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં જોખમી બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આવાં બિલ્ડિંગોને આવશ્યક્તા મુજબ ખાલી કરાવીને તોડી પાડવાનાં હોય છે. જોકે મોટા ભાગનાં પાઘડી બિલ્ડિંગોમાં મકાનમાલિક અને ભાડૂતો ચ્ચે ચાલતા વિવાદમાં બિલ્ડિંગો ખાલી કરવામાં આવતાં નથી. કેટલાંક બિલ્ડિંગોના રહેવાસીઓ કોર્ટમાં પણ જતા હોય છે.

મુલુંડની વાત કરીએ તો ૨૦૨૪માં મુલુંડ BMCએ ૧૬ બિલ્ડિંગો જર્જરિત હોવાની જાહેરાત કરી હતી. એમાંથી આશરે ૭૦ ટકા બિલ્ડિંગોમાં કોર્ટકેસ ચાલુ હોવાથી BMCના અધિકારીઓ આ બિલ્ડિંગ ખાલી કરાવવા માટે કાયદાના પંડિતો પાસેથી વધુ માહિતી લીધા બાદ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. વિક્રોલીની ઘટના બાદ મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ પર ગાયવાલા બિલ્ડિંગ, એન. એસ. રોડ પર પ્રાગજી સુંદરજી (મોચી બિલ્ડિંગ) અને સુશીલા સદન બિલિંગનાં પાણી અને લાઇટ શુક્રવારે કાપી નાખવામાં આવ્યાં હતાં.

આવા બિલ્ડિંગમાં રહેવાનું જોખમી હોવા છતાં રહેવાસીઓ એમાં કેમ રહે છે એ બાબતે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના રહેવાસીઓને સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો ન હોવાને કારણે બિલ્ડિંગો ખાલી કરતા નથી, કેમ કે એક વખત બિલ્ડિંગ ખાલી કરવામાં આવે પછી પાછું ઘર મળવાની કોઈ ગેરન્ટી નથી હોતી. બીજી તરફ પોતે વર્ષોથી રહેતા હોય છે એ ફ્લૅટનું BMC કે પછી બિલ્ડીંગ દ્વારા કોઈ ઍગ્રીમેન્ટ કી આપવામાં આવતું નથી એને કારણે પોતાનો હક અહીંથી ચાલ્યો જશે એવી પણ અમુક ભાડૂતોને શંકા હોય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિન whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us