કોલાબા-બાન્દરા-સિપ્ઝ અંડર ગ્રાઉન્ડ મેટ્રો-3ની આસપાસના પરિસરમાં વૃક્ષારોપણ કરવાની હાકલ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને નાગરિકોને કરી છે. નાગરિકોએ વાવેતર કરેલા ઝાડની ત્રણ વર્ષ સુધી દેખભાળની જવાબદારી કોન્ટ્રેક્ટરને સોંપવામાં આવશે. મેટ્રો-3 રૂટના કામ માટે 33.5 કિલોમીટર પરિસરમાં મોટા પ્રમાણમાં ઝાડ કાપવામાં આવ્યા હતા. આરે કારશેડમાં ઝાડ કાપવાની બાબત ઘણી વિવાદસ્પદ બની હતી. એકંદરે મેટ્રો-3 રૂટ માટે કાપવામાં આવેલા ઝાડોની સંખ્યા ધ્યાનમાં લેતા એના નુકસાન વળતર તરીકે મેટ્રો-3 રૂટના પરિસરમાં મોટા પ્રમાણમાં ઝાડ વાવવાનો નિર્ણય એમએમઆરસીએએ કર્યો છે.
વૃક્ષારોપણ સંબંધી એફિડેવિટ એમએમઆરસીએએ હાઈ કોર્ટમાં રજૂ કર્યું છે. એ અનુસાર મેટ્રો સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. હવે એમએમઆરસીએએ નાગરિકોને પણ વૃક્ષારોપણ કરવાની હાકલ કરી છે. સરકારી, ખાનગી કાર્યાલયો, રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેને એમએમઆરસીએએ વૃક્ષારોપણ માટે આગળ આવવાની હાકલ કરી છે.
વૃક્ષારોપણ માટેના ઝાડ અને ઝાડના વાવેતર માટે એમએમઆરસી તરફથી મદદ કરવામાં આવશે. ઝાડનું વાવેતર કર્યા પછીના ત્રણ વર્ષ માટે આ ઝાડની દેખભાળની જવાબદારી એમએમઆરસીના કોન્ટ્રેક્ટરની રહેશે. મેટ્રો-3 રૂટના આસપાસના 500 મીટરના પરિસરમાં વૃક્ષારોપણ કરવાને અગ્રતા રહેશે. ઈચ્છુક નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓ, અન્ય સંસ્થાઓ તરફથી અરજી મગાવવામાં આવી છે. 15 જુલાઈ સુધી અરજી સ્વીકારવામાં આવશે. મહત્વની વાત એટલે આ ઉપક્રમ માટે એક નોડલ અધિકારીની નિયુક્તી કરવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw