શરદી થયા પછી જ્યારે નાક બંધ થઈ જાય છે ત્યારે રોજીંદા કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. આજે તમને ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ વિશે જણાવી દઈએ જેને સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે.
શિયાળામાં વારંવાર થતી સ્વાસ્થ્ય સમસ્યા છે શરદી. શરદીમાં મોટાભાગે નાક બંધ થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કે શરદીમાં મ્યુકસ વધે એટલે તે નાકને બ્લોક કરી દે છે. નાક બંધ થઈ જાય તો રાત્રે સુવાથી લઈને દિવસ દરમિયાન કામ કરવાની પણ સમસ્યા રહે છે. આખો દિવસ બેચેની અનુભવાય છે અને માથામાં દુખાવો પણ થવા લાગે છે. આ સ્થિતિમાં કેટલા ઘરેલુ નુસખા પણ ઝડપથી આરામ આપી શકે છે. શરદી થાય ત્યારે રાહત મેળવવા માટે અલગ અલગ પ્રકારના ઉકાળા પીવા અને સ્ટીમ લેવા જેવા નુસખા વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે. બામ સિવાય પણ એવી વસ્તુઓ ઘરમાં હોય છે જેને સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે.

શરદીમાં નાક બંધ થઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. નાક ખોલવા માટે સ્ટીમ લેવી સૌથી બેસ્ટ ગણાય છે. પરંતુ એ સિવાય તમે કેટલીક વસ્તુઓ સૂંઘો તો પણ બંધ નાક ખુલી જાય છે. આ વસ્તુઓ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જાણીએ.
અજમાની પોટલી
શરદી થઈ ગઈ હોય અને નાક બંધ થઈ ગયું હોય તો અજમા ઉપયોગી સાબિત થાય છે. અજમાને ધીમા તાપે શેકી લેવા અને પછી કોટનના કપડામાં તેને બાંધીને પોટલી બનાવી લેવી. આ પોટલી થોડી થોડી મિનિટે ઊંઘતા રહેવું. આ પોટલી સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને શરદીમાં પણ રાહત થાય છે.
કપૂર
શરદીમાં નાક બંધ થઈ ગયું હોય તો પૂજામાં જે કપૂરનો ઉપયોગ થાય છે તેને પણ સૂંઘી શકો છો. કપૂરની સ્મેલ તીવ્ર હોય છે. કપૂરને રૂમાલમાં બાંધીને ધીરે ધીરે સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને સ્ટ્રેસ પણ દૂર થાય છે.
નીલગીરી
નીલગીરી એટલે કે યુકેલિપ્ટસ શરદીમાં ફાયદો કરે છે. નીલગિરી ઉધરસ અને અસ્થમા જેવી તકલીફમાં પણ ફાયદો કરે છે. તેનાથી ગળાની તકલીફ પણ દૂર થાય છે. નીલગિરીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે. સ્ટીમ લેવાના પાણીમાં નીલગિરીના થોડા ટીપા ઉમેરીને સ્ટીમ લેવાથી નાક ખુલી જાય છે. તમે નીલગિરીના પાનને મસળીને સૂંઘી પણ શકો છો.

લવિંગ
નાક બંધ થઈ ગયું હોય તો તેને ખોલવા માટે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને એક પોટલી બનાવી લો. એક કોટનના કપડામાં થોડું કપૂર, શેકેલા અજમા અને લવિંગનો ભૂકો મિક્સ કરો. સાથે તેમાં નીલગીરીના થોડા ટીપા ઉમેરી દો. આ કોટનના કપડાને થોડી થોડી વારે સૂંઘવું. પાંચથી દસ મિનિટમાં જ નાક ખુલી જશે અને તમને રાહત થઈ જશે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
