કેળા એવું ફળ છે જે શરીરને પોષણ અને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. પરંતુ આ લાભ માટે કેળા યોગ્ય સમયે ખાવા જરૂરી છે. આજે તમને જણાવીએ કેળા કયા સમયે ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે.
કેળા એવું ફળ છે જે બારેમાસ સરળતાથી મળે છે. આ ફળની ખાસિયત છે કે તેને ખાવાથી શરીરને તુરંત એનર્જી મળે છે. જો તમે લો ફીલ કરતા હોય તો કેળું ખાવું જોઈએ. તેનાથી તમને એનર્જી મળશે. કેળા એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે. ડાયટમાં પણ કેળાનો સમાવેશ કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાને કયા સમયે ખાવાથી શરીરને વધારે લાભ થાય ? કેળાને યોગ્ય સમયે ખાવાથી શરીરને એનર્જીની સાથે સ્વાસ્થ્ય સમસ્યામાં ફાયદો પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કયા લાભ માટે કેળા ક્યારે ખાવા જોઈએ.

એનર્જી માટે કેળા
કેળામાં કાર્બાહાઈડ્રેટ હોય છે જે તમને એનર્જેટિક રાખે છે. જો તમે જીમમાં જાવ છો કે ઘરે પણ કોઈ કસરત કરો છો તો વર્કઆઉટની 15 થી 30 પહેલા કેળા ખાવા. રિસર્ચ અનુસાર કેળા પરફોર્મન્સ સુધારી શકે છે. સવારે નાસ્તામાં કેળા ખાવાથી પણ લાભ થાય છે. નાસ્તામાં કેળા ખાવાથી આખો દિવસ એનર્જેટિક રહેશે.
બપોરના સમયે કેળુ ખાવું
ઘણીવાર બપોરે જમ્યા બાદ સુસ્તી લાગે છે. આ સમયે જો તમે એક કેળુ ખાઈ લેશો તો તેનાથી થાક દુર થશે અને તમે તરોતાજા અનુભવ કરવા લાગશો.
પાચન માટે કેળુ

જો તમને કબજિયાત કે અન્ય કોઈ પાચન સંબંધિત સમસ્યા રહે છે તો કેળા ખાવા ફાયદાકારક રહેશે. કેળા ફાઈબરથી ભરપુર હોય છે જે પેટ સાફ રાખવામાં મદદ કરે છે. તેના માટે કાચા અને પાકા બંને પ્રકારના કેળા ખાઈ શકાય છે. કાચા કેળા પણ પેટમાં ગુડ બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે.
વજન કંટ્રોલ કરવા માટે
કેળા ફાઈબરથી ભરપુર હોય છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એકવાર કેળુ ખાઈ લેશો તો વારંવાર ભુખ નહીં લાગે. તેના કારણે વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
