વરસાદી વાતાવરણમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સમયે જો કાળા તલનું સેવન કરવામાં આવે તો શરીરને લાભ થાય છે. આજે તમને શરીરને ફાયદો કરતા કાળા તલના લાડુ કઈ રીતે બનાવવા તે જણાવીએ.
વરસાદી વાતાવરણમાં ભેજ અને ઠંડકના કારણે અનેક બીમારીનો પ્રકોપ વધી જાય છે. બીમારીથી બચવું આ સમયે પડકાર સમાન સાબિત થાય છે. આ ઋતુ દરમિયાન પહાડી વિસ્તારોમાં ખાસ કાળા તલના લાડુ ખાવામાં આવે છે. આ દેશી નુસખો તબિયત સુધારવામાં અસરદાર સાબિત થાય છે. કાળા તલના લાડુ એક પારંપરિક મીઠાઈ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ચોમાસામાં લાભકરનાર સાબિત થાય છે.

કાળા તલ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. તે ઈમ્યૂનિટી બુસ્ટ કરે છે. કાળા તેલમાં રહેલું પ્રાકૃતિક તેલ ત્વચાને મોઈશ્ચુરાઈઝ કરે છે અને વરસાદમાં થતી સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.
આયુર્વેદમાં કાળા તલને ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિના માનવામાં આવ્યા છે. કાળા તલ શરીરમાં ગરમી જાળવી રાખે છે. કાળા તલ વાત સંબંધિત સમસ્યામાં લાભ કરે છે. બાળકો, વડિલો અને મહિલાઓ માટે આ લાડુ ફાયદાકારક માનવામાં આવે છે.
કાળા તલના લાડુ બનાવવાની રીત
કાળા તલના લાડુ બનાવવા માટે 1 કપ કાળા તલ, 1 કપ ખમણેલો ગોળ, 2 ચમચી દેશી ઘીની જરૂર પડશે. સૌથી પહેલા કાળા તલને ધીમા તાપે શેકી લેવા અને પછી ઠંડા કરી લેવા. તલ ઠંડા થઈ જાય એટલે અધકચરા વાટી લેવા. હવે એક કઢાઈમાં 3 ચમચી જેટલું પાણી લઈ તેમાં ગોળ ઉમેરી ગોળને પકાવો. ગોળ ઓગળે પછી તેમાં ઘી ઉમેરો. ગોળ પાકી જાય પછી તેમાં અધકચરા વાટેલા તલ ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો.

આ લાડુને એરટાઈટ કંટેનરમાં ભરી સ્ટોર કરી શકો છો. ચોમાસા દરમિયાન 1 લાડુ સવારે અને 1 લાડુ સાંજે ખાવો. આ લાડુ ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે.

For more details… Contact 9322529232 / 9324483455
