સંભાજીનગરમાં આવેલી હોટેલ વિટ્સના ખરીદી કૌભાંડનો મુદ્દો સોમવારે વિપક્ષી નેતા અંબાદાસ દાનવે દ્વારા વિધાન પરિષદમાં ધ્યાનાકર્ષક સૂચના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ ખરીદી વ્યવહારમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ કરારમાં ભાગ લેનાર ત્રણ કંપનીઓના કરાર વચ્ચે માત્ર 5 કરોડ રૂપિયાનો તફાવત છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વ્યવહારમાં ગેરરીતિ થઈ છે, એમ દાનવેએ ગૃહમાં આરોપ લગાવ્યો હતો.
આ વ્યવહારમાં રાજ્ય સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ જીતનાર કંપનીના માલિક સિદ્ધાંત શિરસાટ છે જેના પિતા રાજ્ય કેબિનેટમાં મંત્રી (શિંદે સેનાના મંત્રી સંજય શિરસાટ) છે. સિદ્ધાંતના પિતાના ચૂંટણી સોગંદનામામાં જણાવાયું છે કે સિદ્ધાંત શિરસાટના નામે કોઈ સંપત્તિ નથી.

રાજ્ય સરકારના અધિકારીઓ આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનું કામ કરે છે. કંપની નોંધણીકૃત નથી, કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષથી આરટીઆર ચૂકવ્યું નથી, જો સિદ્ધાંત શિરસાટના પિતાના સોગંદનામામાં જણાવાયું છે કે તેમની સંપત્તિ શૂન્ય છે, તો તેઓ હોટેલ કેવી રીતે ખરીદી શકે? એવા પ્રશ્નો દાનવેએ વિધાનસભામાં ઉઠાવ્યા હતા.
દાનવેએ શાસક પક્ષને આડે હાથ લીધો હતો. મંત્રી સંજય શિરસાટે પણ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે શાસક પક્ષ આ ગેરરીતિને સમર્થન આપી રહ્યું છે. ત્યાર બાદ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સંબંધમાં પોતાનો જવાબ આપ્યો હતો. આની નોંધ લેતાં, મુખ્ય મંત્રીએ કરારોની શરતો અને નિયમોમાં ગેરરીતિઓની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
ધાંડા કોર્પોરેશનની માલિકીની હોટેલ ‘વિટ્સ’ ખરીદવા માટેની હરાજી પ્રક્રિયા આખરે રદ કરવામાં આવી છે, કારણ કે સૌથી વધુ બોલી લગાવનાર સિદ્ધાંત શિરસાટની કંપનીએ સમયમર્યાદામાં 25 ટકા રકમ ચૂકવી ન હતી. પરિણામે, વહીવટી તંત્રે હરાજીને નકારી કાઢવી પડી છે અને આ સંબંધમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવો પડ્યો છે. આ હરાજી પ્રક્રિયામાં, સિદ્ધાંત મટીરિયલ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાય કંપનીએ સૌથી વધુ 64 કરોડ 83 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. ત્યાર બાદ, વહીવટી તંત્રે નિયમો અનુસાર એક મહિનાની અંદર 25 ટકા રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ અંગે વિપક્ષ દ્વારા અનેક આરોપો બાદ, 20 જૂનની સમયમર્યાદા પસાર થયા પછી પણ, કંપનીએ એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો. તેથી, નિયમો અનુસાર હરાજી રદ કરવામાં આવી છે. આ હરાજી પર શરૂઆતથી જ રાજકીય વિવાદ હતો, કારણ કે આ કંપની પાલકમંત્રી સંજય શિરસાટના પુત્રની હોવાનું બહાર આવ્યા બાદ, વિરોધીઓએ હરાજી પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કર્યા હતા.

For more details… Contact 9322529232 / 9324483455
