મુલુંડ (વે)માં એમ.જી. રોડ સ્થિત શંકર સ્મૃતિ સોસાયટીમાં મોનિકા જવેલર્સ નામની સોના- ચાંદીની જવેલરી શોપ ધરાવતા રવીન્દ્ર ચૌધરીને ૨૫ જૂનના સસ્તા દરે સોનાના બિસ્કીટ વેચવાને બહાને ખારઘર બોલાવીને તેમની મારઝૂડ કરીને તેમની પાસેથી રૂા. ૧૩ લાખ લૂંટી લેવાના કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાત ફરાર આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓની ઓળખ રાજ શેખ, વિશાલ તૂપે, રોહિત શેલાર, નિલેશ બનગે, શિવાજી ચિકણે, વિશાલ ચોરગે અને દિલેર ખાન તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી રૂા. ૧૨.૨૭ લાખ જપ્ત કર્યા છે. પોલીસે આરોપીઓને શોધવા ત્રણ ટીમ બનાવીને આશરે નવ દિવસમાં આ ઓપરેશન પાર પાડીને સીસીટીવી ફૂટેજના આધારે અર્ટિગા કારનો નંબર મેળવીને ભાંડુપ, કુર્લા, ઘનસોલી ને સાતારામાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. કેસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી જાણવા મળી છે. આરોપીઓ પોલીસ જેવી જ અર્ટિગા કાર વાપરી પોલીસ જેવા જ કપડાં પહરીને દંડો હાથમાં રાખીને પ્રથમ ટાર્ગેટની મારપીટ કરતા અને ત્યારબાદ તેની પાસેથી પૈસા લઈને નાસી જતા હતા. આરોપીઓ સામે મુંબઈ ઉપરાંત થાણે, વસઈ-વિરાર અને ગુજરાતમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw