વરસાદની મોસમમાં થતાં રોગચાળાને રોકવા માટે બીએમસીએ ચાઈનીઝ, ગેરકાયદે વડાપાંઉના સ્ટોલ વગેરે સામે કાર્યવાહી શરૂ કરી છે. આ વિશેષ ઝુંબેશ હેઠળ મુલુંડના અતિક્રમણ વિભાગે ૨૦ કરતાં વધુ સિલિન્ડરો જપ્ત કરીને આશરે ૩૨ ગેરકાયદે ફૂડ સ્ટોલ સામે કાર્યવાહી કરી હતી એટલું જ નહીં, રોડ પર બેસીને ખાદ્યપદાર્થ વેચતા ફેરિયાઓને હાઈજિનનું લેવલ મેઈન્ટેન કરવા અને એ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
બીએમસીના આરોગ્ય વિભાગે ચોમાસા દરમ્યાન થતાં મેલેરિયા, ડેન્ગી, લેપ્ટો, કમળો, સ્વાઈન ફ્લુ જેવા રોગચાળાને રોકવા માટે યોગ્ય પગલાં લીધા છે. જ્યારે મનપાએ સ્ટ્રીટ ફૂડ ખાવાથી થતાં રોગોને રોકવા માટે મુંબઈમાં ખાદ્યવિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એમાં ફૂટપાથ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સામે બીએમસી દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. વહિવટી તંત્ર દ્વારા ગેરકાયદે વિક્રેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ફૂડ-ટ્રેક, ગેસ સિલિન્ડર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
મુલુંડ સ્ટેશન નજીક એસ.એલ. રોડ અને બીજા વિસ્તારમાં બેસતા ફેરિયાઓ હાઈજીનનું લેવલ મેઈન્ટેઈન નથી કરતા એવી મનપાને ફરિયાદો મળી હતી. ફરિયાદો સામે બીએમસી ચોમાસામાં થતી બીમારીઓ ઘટાડવા માટે કાર્યવાહી કરી રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw