September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

વાશી ખાતે સાંસદ પ્રવીણ ખંડેલવાલ સાથે વેપારીઓની સમસ્યા અંગે ચર્ચા

દીપક સોમૈયા –

વેપારીઓ તરફથી સરકારને કરવામાં આવેલી કોઈ પણ રજૂઆત સરકાર સુધી પહોંચતી નહોતી. સરકાર તરફથી લેવામાં આવેલા સર્વ નિર્ણયો વેપારીઓ ઉપર રીતસર થોપવામાં આવતા હતા, પરંતુ હવે વેપારીઓના અવાજને દિલ્હીના સંસદભવનમાં વાચા આપવામાં આવશે.સમગ્ર વેપારી સમાજના પ્રતિનિધિ તરીકે હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા વેપારીઓના પ્રતિનિધિ અને કોન્ફ્રેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ તાજેતરમાં ગ્રોમા સંસ્થાના કાર્યાલય વાશી, નવી મુંબઈ ખાતે આવ્યા હતા.

સાંસદ બન્યા પછી પહેલી વાર તેઓ ગ્રોમા સંસ્થામાં પધાર્યા હોવાથી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ચૂંટણીમાં જીતવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રોમા સંસ્થાના પદાધિકારીઓ ઉપ પ્રમુખ અમૃતલાલ જૈન, માનદ્દ મંત્રીઓ ભીમજીભાઈ ભાનુશાલી, જયંતભાઈ ગંગર, મનીષભાઈ દાવડા, એ.પી.એમ.સી.ના દાણા બજારના ડાયરેક્ટર નિલેશભાઈ વીરા, કાર્યવાહક સમિતિના અન્ય સદસ્યો સાથે શંકર ઠક્કર રાષ્ટ્રીય અધ્યક્ષ: અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ, પ્રદેશ મહામંત્રી: કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, મહારાષ્ટ્ર એકમ તેમ જ ગ્રોમા સંસ્થાના સભ્ય વેપારીભાઈઓ અને અન્ય સંલગ્ન સંસ્થાઓના પદાધિકારીઓમાં અનુરાગ ગર્ગ, સુભાષ ઠક્કર, રમણિકભાઇ છેડા, કીર્તિભાઇ રાણા, સુરેશભાઈ ઠક્કર, સચિન નિર્ગુણે વગેરે હાજર રહ્યા હતા.

આ મુદ્દાઓ પર ચર્ચા : પ્રવીણ ખંડેલવાલે વેપારીભાઈઓ સાથે તેમની વેપારને લગતી સમસ્યાઓ અને સરકાર પાસેની રજૂઆતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં વેપારીઓ તરફથી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા નિઃશુલ્ક અનાજ વિતરણની અવેજીમાં ડાયરેક્ટ બેંકમાં સબસિડીસ, સ્ટોક લિમિટ, એફએસએસએઆઈ, સરકારી વિભાગો દ્વારા કનડગત, એ.પી.એમ.સી. માર્કેટનું ઇન્ટરનેશનલ માર્કેટના દરજજાનું પુનઃ બાંધકામ, જીએસટી જેવી અનેક સમસ્યાઓ વિશે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. તેમ જ સર્વે સમસ્યાઓ બાબતે વહેલી તકે ઉકેલ લાવવા તેમ જ વેપારીના અવાજને ભારત દેશના સંસદભવન સુધી પહોંચતી કરશે એવું ખાતરીપૂર્વકનું આશ્વાસન આપ્યું હતું,

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us