મહારાષ્ટ્ર વિધાનમંડળના મોન્સૂન સત્ર દરમિયાન મંગળવારે મુંબઈના નવ રેલવે સ્ટેશનનાં નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કરાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી એવી માગણી ઊઠી હતી કે, મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનના બ્રિટિશ નામ બદલવાં જોઈએ.
તે મુજબ ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે ગૃહમાં નવ રેલવે સ્ટેશનોના નામકરણનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ગૃહમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે. આથી આ પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવશે, એમ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું.
મધ્ય રેલવે હેઠળના મુંબઈના કરી રોડ સ્ટેશનનું નામ બદલીને લાલબાગ રેલવે સ્ટેશન, સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનનું નામ ડોંગરી, કોટનગ્રીનના બદલે કાલાચોકી, ડોકયાર્ડ રોડના નામને બદલીને મઝગાવ, કિંગ સર્કલ સ્ટેશનનું નામ બદલીને તીર્થંકર પાર્શ્વનાથ રેલવે સ્ટેશન રાખવામાં આવશે.
આ જ રીતે, વેસ્ટર્ન રેલવે વિભાગમાં મરીન લાઇન્સ રેલવે સ્ટેશનનું નામ બદલીને મુંબાદેવી, ચર્ની રોડ રેલવે સ્ટેશનનું નામ બદલીને ગિરગાવ અને મુંબઈ સેન્ટ્રલનું નામ નાના જગન્નાથ શંકરશેઠ સ્ટેશન કરવાનો પ્રસ્તાવ રખાયો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw