September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

MAHARERA એ ક્યુઆર કોડ વિનાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરનારાઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી

મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MAHARERA) એ ક્યુઆર કોડ વિનાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરનારાઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ૬૨૮ પ્રોજેક્ટ્સ પર મહારેરાએ લગભગ ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ૯૦ લાખમાંથી ૭૦ લાખ ૩૫ હજાર રૂપિયાની વસૂલાત પણ કરી લીધી છે.

બિલ્ડરોએ ઘરોની વેચાણ માટે પ્રોજેક્ટની જાહેરાત કરવાની રીત બદલી છે. અખબારોની સાથે, તેઓ હવે સોશિયલ મીડિયા દ્વારા પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છે.

બિલ્ડરોના આધુનિકીકરણ પછી, રેરાએ પણ નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ટેક્નોલોજીની મદદ લેવાનું શરૂ કર્યું. ક્યૂઆર કોડ વિનાની જાહેરાત વિશે જાણવા માટે રેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નિષ્ણાતોની મદદ લઈ રહ્યું છે.
રેરા અનુસાર,  મુંબઈ, થાણે સહિત નજીકના વિસ્તારોમાં ક્યૂઆર કોડ વિના જાહેરાતના સૌથી વધુ ૩૧૨ કેસ નોંધાયા છે. ૩૧૨ પ્રોજેક્ટ પર ૫૪.૨૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી ૪૧.૫૦ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
પુણે વિસ્તારમાં ૨૫૦ પ્રોજેક્ટ્સ પર ૨૮.૩૯ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાંથી ૨૪.૭૫ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. વિદર્ભમાં ૬૬ પ્રોજેક્ટ પર લગાવવામાં આવેલા ૬.૩૫ લાખ રૂપિયાના દંડમાંથી ૬.૧૦ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

રેરાના ચેરમેન અજોય મહેતાના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ રેરામાં નોંધાયેલ છે, એટલે કે પ્રોજેક્ટ સારો હશે. લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us