લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ નાસિક જિલ્લાની માલવાડી ગ્રામ પંચાયતના આર્થિક સંકટનો સામનો કરી રહેલાં કાંદાના તમામ ઉત્પાદકોએ ભેગાં થઈ ‘હવે અમે નક્કી કરીશું અમારે વોટ કરવો કે નહીં’ એવા લખાણનું સાઈનબોર્ડ લગાવ્યું છે. તેમણે તમામ નેતાઓને આ ગામોમાં ચૂંટણી પ્રચારની તસ્દી નહીં લેવા પણ જણાવ્યું છે.
ડુંગળીના ઉત્પાદકો છેલ્લાં ઘણા વર્ષોથી આર્થિક સંકડામણ ભોગવી રહ્યાં છે. ડુંગળીના વાવેતરના ખર્ચને જોતાં તેના યોગ્ય ભાવ મળતાં નથી. તેથી ગત માર્ચ મહિને જ્યારે આખું ગામ હાડમારી સહન કરી રહ્યું હતું ત્યારે શાસક કે વિપક્ષના કોઈ નેતાએ ગામની મુલાકાત લીધી નહોતી. આથી હવે તેમના વોટ માગવા પર પણ આ ગ્રામજનોએ પ્રતિબંધ મૂક્યો છે.
કાંદાની નિકાસ પર નિયંત્રણો સહિતના મુદ્દે ખેડૂતોને ભારે નુકસાન છતાં પણ શાસક કે વિપક્ષના કોઈ નેતા ખેડૂતોની વ્યથા જાણવા તથા તેમનો ઉકેલ લાવવા આવ્યા નથી. આથી ખેડૂતો સમગ્ર રાજકીય સિસ્ટમથી હતાશ થઈ ગયા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1