September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

Health Tips – રોજ ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી થતા જબરદસ્ત ફાયદા વિશે જાણો

જે તમને આવો જ એક અસરકારક ઘરેલુ નુસખો જણાવીએ. જો રોજ સવારે ખાલી પેટ તમે લવિંગનું પાણી પીવાનું રાખો છો તો તબિયત સારી રહે છે. નિયમિત સવારે લવિંગનું પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તે માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને દિવસની શરૂઆતમાં તમે કઈ વસ્તુનું સેવન કરો છો તેના પર સ્વાસ્થ્યનો આધાર હોય છે. જો તમે સામાન્ય લાગતી આ બાબત પર ધ્યાન આપતા નથી તો તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થયા કરે છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય તેઓ બીમારીઓ માટે તુરંત દવા લઈ લેતા હોય છે. પરંતુ આ રીતે દવા ખાવાને બદલે તમે ઘરેલુ નુસખા કરો છો તો તેનાથી બીમારીઓના જોખમને ઘટાડી શકાય છે. 

આજે તમને આવો જ એક અસરકારક ઘરેલુ નુસખો જણાવીએ. જો રોજ સવારે ખાલી પેટ તમે લવિંગનું પાણી પીવાનું રાખો છો તો તબિયત સારી રહે છે. નિયમિત સવારે લવિંગનું પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. રોજ સવારે ખાલી પેટ લવિંગ નું પાણી પીશો તો તેનાથી શરીરને કેટલા ફાયદા થશે તે પણ જાણી લો. 

લવિંગનું પાણી પીવાથી થતા ફાયદા

લીવર સંબંધિત રોગ 

લવિંગનું પાણી નિયમિત પીવાથી લીવરને ફાયદો થાય છે. લવિંગમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ લીવરની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં સાત લવિંગ પલાળી દેવા અને પાણીને ઢાંકીને રાખી દેવું. સવારે આ પાણીમાંથી લવિંગ કાઢીને પાણી પી જવું. જે લોકોને લીવરની સમસ્યા હોય તેમના માટે પણ આ નુસખો અસરકારક છે. 

પેટની સમસ્યા 

લવિંગના પાણીનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર થાય છે. નિયમિત સવારે આ પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેનાથી ડાયજેશન સુધરે છે. લવિંગનું પાણી પીવાથી પેટમાં દુખાવો, કબજિયાત અને પેટ ફુલવા જેવી સમસ્યા પણ રાહત થાય છે. 

ખરતા વાળ 

રોજ સવારે લવિંગનું પાણી પીવાથી ખરતા વાળની સમસ્યામાં પણ ફાયદો થાય છે. એક ગ્લાસ આ પાણી પીવાથી વાળ ખરતા અટકી જાય છે. જો તમારા વાળ પણ વધારે પ્રમાણમાં ખરી રહ્યા છે તો સવારે લવિંગનું પાણી પીવાનું શરૂ કરો. 

હાર્ટની પ્રોબ્લેમ 

હાર્ટ સંબંધિત બીમારીમાં પણ લવિંગનું પાણી પીવાથી ફાયદો થાય છે. લવિંગના પાણીમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે હાર્ટ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત સમસ્યા મટે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us