શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દ્વારા દરિયાસ્થાન સ્ટ્રીટ વડગાદીના દરિયાલાલ મંદિરે તા. 10 એપ્રિલના બુધવારે રોજે કુળદેવ શ્રી દરિયાલાલજીની 851મી જન્મ જયંતિ ચૈત્રીબીજ-ચંદ્ર દર્શન ઉત્સવ ઉજવણીનું આયોજન કરાયું છે. 162 વર્ષથી ઝળહળતી અખંડ જ્યોતના પુનિત સાંનિધ્યમાં થનારા ઉત્સવ કાર્યક્રમમાં સવારે 7.30 કલાકે પ્રાતઃ આરતી, સવારે 10.00 કલાકે ચોપાટી સમુદ્રતટે વિલ્સન કોલેજની સામે દરિયાપૂજન, બપોરે 11.30 કલાકે દરિયાસ્થાન મંદિર દ્વારે પૂજન યાત્રાનું સામૈયું, બપોરે 12.30 કલાકે મધ્યાહન આરતી બપોરે 1 થી રાત્રે 8 સુધી દરિયાલાલ દેગ, દડિયા પ્રસાદનું વિતરણ, સાંજે 7.30 કલાકે સાંય આરતી નો કાર્યક્રમ નિર્ધારિત છે.

આ ઉત્સવ પર્વ દિને અખંડ જ્યોતના શુભ શુકનમય દર્શન કરી પુનિત પ્રસાદનો લાભ સમસ્ત લોહાણા જ્ઞાતિજનો, આસ્થાળુ ભાવિક ભક્તજનોને હાર્દિક નિમંત્રણ શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈના પ્રમુખ નીતિન ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી), ધાર્મિક સમિતિ ક્નવીનર ઃ શ્રી દિલીપભાઈ સોમૈયા, શ્રી પંકજભાઈ કારીયા, માનદ્ મંત્રીઓ ઃ પંકજ ઠક્કર (ગણાત્રા), અમિત ઠક્કર (પાંધી) દ્વારા અપાયું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us