શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ ભગવાનની પૂજા અર્ચનાની શુભ શરૂઆત બુધવાર તારીખ 17/01/ 24 થી 20/ 01/24 દરરોજ સાંજના 4:00 કલાકે એપીએમસી મસાલા માર્કેટ 1 ના K-11 મુંબઈ શ્રીફળ મર્ચન્ટ એસોસિયન ની ઓફિસ પાસે આયોજિત કરેલ હતી અને દરેક વ્યાપારી ભાઈઓ/ દલાલ ભાઈઓ/ ગુમાસ્તાભાઇઓ તથા માથાડી કામદાર ભાઈઓએ રોજ 15 મિનિટ માટે હનુમાન ચાલીસા થી શરૂઆત કરી પછી રામધુન માટે હાજર રહ્યા હતા અને ચારે દિવસે આવેલા આમંત્રિત મહેમાનોની યાદી નીચે મુજબ છે.
APMC મસાલા માર્કેટ ના ડાયરેક્ટર વિજયભાઈ ભૂતા, APMC મસાલા માર્કેટ ના સેક્રેટરી સાહેબ તથા ભાઈઓ/ એપીએમસી વાસી પોલીસ સ્ટેશનના સાહેબ સુધાકર સાહેબ અને શ્રીફળ બજાર ના વડીલો જેમકે ધનજીભાઈ છેડા ,ધનજીભાઈ ખોના, પ્રદીપભાઈ ગાલા, ખીમજીભાઈ શાહ તથા દલાલ મંડળ ભાઈઓ, અશોકભાઈ જૈન, લક્ષ્મીચંદ ગાલા, મણીલાલ ગોગરી, પ્રવીણભાઈ તથા માથાળી ભાઈઓ હાજર રહ્યા હતા. અને ઉપરોક્ત બધા લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. તથા પછી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
શ્રીરામ ભગવાનના કાર્યક્રમમાં સહભાગી થયા તે માટે અમારી K ગલી ના બધા વેપારી ભાઈઓ દલાલ ભાઈઓના સાથ સહકારથી અમારો આ કાર્યક્રમ સફળ થયો તથા અમારા મુંબઈ શ્રીફળ મર્ચન્ટ એસોસિએશન ના કમિટી મેમ્બરોના સાથ સહકાર અને એસોસિએશન વતી ઉપરોક્ત મહાનુભવોને અમારા આમંત્રણ અને માન આપી આવ્યા એ બદલ ખુબ ખુબ આભાર
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp