મુલુંડ વિસ્તારમાં જાહેર સુરક્ષાને લઈને એક ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં અનેક સ્ટ્રીટલાઈટ્સ બંધ હાલતમાં હોવાને કારણે સ્થાનિક નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને મુલુંડ-વેસ્ટના એમ.જી. રોડ, એન.એસ. રોડ, ભક્તિ માર્ગ, સેવારામ લાલવાણી રોડ, યોગી હિલ્સ, સ્વપ્નનગરી અને વૈશાલીનગર સહિતના વિસ્તારોમાં અંધકાર છવાઈ ગયો છે. રાત્રિના સમયે પૂરતી પ્રકાશ-વ્યવસ્થા ન હોવાથી લોકોની દૈનિક અવરજવર પર અસર પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે આ વિસ્તારોમાં લાંબા સમયથી સ્ટ્રીટલાઇટ્સ બંધ છે છતાં સંબંધિત BMC અથવા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પોલીસ-સ્ટેશનની સામેનો વિસ્તાર સામાન્ય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યાં પૂરતો પૂરતો પ્રકાશ હોવો ખૂબ જ જરૂરી છે. એ જ રીતે સ્કૂલ નજીકના વિસ્તારમાં બાળકો અને વાલીઓની અવરજવર વધુ હોય છે, જેથી અંધકારના કારણે અકસ્માતો અથવા અનિચ્છનીય ઘટનાઓની શક્યતા વધી રહી છે છતાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટલાઈટ્સ બંધ હાલતમાં છે. આ મુદ્દે BMC અને MSEDCLને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સ્ટ્રીટ લાઇટ્સની ખામી માત્ર અસુવિધા પૂરતી નથી, પરંતુ એ સીધી રીતે જાહેર સુરક્ષા સાથે જોડાયેલો પ્રશ્ન છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે રાત્રિના સમયે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. અંધકારના કારણે શંકાસ્પદ પ્રવૃત્તિઓ વધવાની શક્યતા રહે છે.”
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક નાગરિકોએ સંબંધિત બન્ને વિભાગને અપીલ કરી છે કે તાત્કાલિક અસરથી બંધ સ્ટ્રીટ લાઇટ્સને દુરસ્ત કરવામાં આવે અને નિયમિત જાળવણી સુનિશ્ચિત કરવામાં આવે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
