કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. આનો અર્થ એ છે કે મુંબઈના અગાધ સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરીને તેને પીવાલાયક બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈની વસ્તીમાં થયેલા ઝડપી વધારા સામે તેના જળ સંસાધનો ખૂબ જ મર્યાદિત છે. હાલમાં, મુંબઈને સાત અલગ અલગ તાળાવોમાંથી પાણી પુરવઠો મળે છે, પરંતુ તે બધા વરસાદ પર આધારિત છે. 2021માં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મનોરી ખાતે આ પ્રોજેક્ટના નિર્માણની જાહેરાત કરી હતી.
જોકે, રાજ્યમાં થયેલા બળવા પછી આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. જોકે, એડિશનલ કમિશનર અભિજીત બાંગરે આપેલી માહિતી મુજબ ઓથોરિટીએ તેને મંજૂરી આપી દીધી છે, પરંતુ હવે ફક્ત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની મંજૂરી બાકી છે.
મુંબઈ શહેરને હાલમાં દરરોજ લગભગ 3,900 મિલ્યન લિટર પાણીની જરૂર પડે છે. જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે મુંબઈમાં 10થી 15 ટકા પાણીકાપ મુકવામાં આવે છે. એકવાર આ પ્રોજેક્ટ શરૂ થઈ જાય પછી મુંબઈને વરસાદ ઉપરાંત પાણીનો કાયમી સ્ત્રોત મળશે. આનાથી ભવિષ્યમાં પાણીની કટોકટી દૂર કરવાનું સરળ બનશે.

આ પ્રોજેક્ટ કેવી રીતે અને ક્યાં બનાવવામાં આવશે?
આ પ્રોજેક્ટ પશ્ચિમ ઉપનગરના મનોરી ગામમાં સ્થિત એમટીડીસીની લગભગ 20 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવશે. તેમાં રિવર્સ ઓસ્મોસિસ નામની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમ આપણા ઘરોમાં વોટર પ્યુરિફાયર પાણીને શુદ્ધ કરે છે, તેમ દરિયાના પાણીને પણ મોટા પાયે શુદ્ધ કરવામાં આવશે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રોજેક્ટ માટે લગભગ 9,737 કરોડ રૂપિયા ઉભા કરશે, જે દરરોજ 200 થી 400 મિલિયન લિટર દરિયાઈ પાણીને શુદ્ધ કરશે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો આ સમગ્ર પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
પર્યાવરણ અને માછીમારોનું ધ્યાન રાખવામાં આવશે
1) આ પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે, સત્તાવાળાઓએ કેટલીક કડક શરતો લાદી છે જેથી પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય.
2) આ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન ભરતી અને ઓટના કુદરતી પ્રવાહમાં કોઈ વિક્ષેપ પડશે નહીં.
3) મનોરી વિસ્તારના સ્થાનિક માછીમારોના વ્યવસાયને પણ કોઈ અસર નહીં થાય.
4) જો આ પ્રોજેક્ટનું કામ ચાલુ હોય ત્યારે મેન્ગ્રોવ જંગલ આવે અને તેમાં કામ કરવાનું હોય, તો હાઇકોર્ટની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.
5) બાંધકામનો કચરો અને કાટમાળ દરિયા કિનારે ફેંકી શકાશે નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
