
છેલ્લાં પાંચ વર્ષમાં 834 બેસ્ટ બસ દુર્ઘટનાઓ સર્જાઈ હતી અને 88 જણનાં મોત થયાં હતાં. મૃતકના કુટુંબી અને ઘાયલ નાગરિકોને રૂ. 42.40 કરોડું વળતર ચૂકવવામાં આવ્યું છે. આ પ્રકરણે 14 કર્મચારીને બરતરફ કરાયા છે, જ્યારે 24 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એવી માહિતી બેસ્ટ પ્રશાસન દ્વારા આરટીઆઈ થકી આપવામાં આવી છે.
આ વર્ષોમાં બેસ્ટ અને ખાનગી ઠેકેદારો સાથે જોડાયેલી 834 બેસ્ટ બસ અકસ્માત સર્જાયા. બેસ્ટ દ્વારા 352 અકસ્માત થયા, જેમાં 51નાં મોત થયાં, જ્યારે બેસ્ટ સેવામાં ખાનગી ઠેકેદારોમાં 482 અકસ્માતમાં 37 જણનાં મોત થયાં. 2022-23 અને 2023-24માં સૌથી વધુ 21નાં મૃત્યુ થયાં હતાં, એમ આરટીઆઈ કાર્યકર્તાએ માગેલી માહિતી પર બેસ્ટે જવાબ આપ્યો છે.બેસ્ટ દ્વારા રૂ. 42.40 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું. 2022-23માં સૌથી વધુ રૂ. 12.40 કરોડનું વળતર અપાયું.

2019-20માં રૂ. 9.55 કરોડ, 2020-21માં રૂ. 3.44 કોડનું વળતર, 2021-22માં રૂ. 9.45 કરોડ અને 2023-24માં રૂ. 7.54 કરોડનું વળતર અપાયું હતું.ઘાતક દુર્ઘટનામાં 12 કર્મચારીને બરતરફ કરાયા, જ્યારે વ્યક્તિગત ઈજાના પ્રકરણમાં 2 કર્મચારીને બરતરફ કરવામાં આવ્યા. વ્યક્તિગત ઈજાના પ્રકરણમાં 24 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અન્ય કાર્યવાહીમાં ચેતવણી, સમજ આપવી, કડક ચેતવણી, વસૂલી, ડિમોશન કરવાનો સમાવેશ થતો હતો. આ બેસ્ટ પ્રશાસનની સુરક્ષાની જવાબદારી ઉજાગર કરે છે. આ પરથી પ્રશાસન અને કર્મચારીઓએ વધુ સાવધાની રાખવાની જરૂર છે તે સમજાય છે, એમ અનિલ ગલગલીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
