
લસણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. કેટલીક બીમારીમાં લસણ દવા જેવી અસર કરે છે. પરંતુ લસણને જો આ 3 વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તે શરીર માટે ઝેર સમાન બની જાય છે.
લસણ લગભગ દરેક ભારતીય રસોડામાં હોય છે. લસણનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. આયુર્વેદમાં લસણને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. કારણ કે લસણમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે જે શરીરને અલગ અલગ રીતે ફાયદો કરે છે. જોકે લસણને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે તો તે નુકસાન પણ કરી શકે છે. ખાસ કરીને કેટલીક વસ્તુઓ સાથે લસણ ખાવું ગંભીર સમસ્યાને આમંત્રણ આપે છે.
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે એવી ત્રણ વસ્તુઓ છે જેની સાથે લસણ ખાવું ખતરનાક સાબિત થઇ શકે છે. આ ત્રણ વસ્તુ સાથે લસણ ખાવામાં આવે તો લીવર અને પાચન પર ખરાબ અસર પડે છે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ ત્રણ વસ્તુઓ સાથે લસણ ખાવાનું ટાળવું જોઈએ.

લોહી પાતળું કરતી દવાઓ સાથે
જો કોઈ વ્યક્તિ રક્ત પાતળું કરવાની દવા ખાય છે તો તેણે લસણનો ઉપયોગ કરવો નહીં. કારણ કે લસણમાં પણ પ્રાકૃતિક રીતે જ રક્ત પાતળું કરવાના ગુણ હોય છે. જો તમે દવા અને લસણ એક સાથે ખાવ છો તો રક્તસ્ત્રાવ થવાનું જોખમ વધી જાય છે. કારણકે તેનાથી રક્ત વધારે પાતળું થઈ જાય છે તેથી આવી દવાઓ ચાલતી હોય તો લસણ ખાવાનું ટાળવો.
ગ્રીન ટી સાથે
હેલ્થનું ધ્યાન રાખતા લોકો ગ્રીન ટી પી ને દિવસની શરૂઆત કરતા હોય છે પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે ગ્રીન ટી પીધા પછી થોડા કલાકો સુધી લસણ ન ખાવું જોઈએ. ગ્રીન ટી અને લસણ અલગ અલગ લેવામાં આવે તો શરીરને ફાયદો થાય છે પરંતુ બંને વસ્તુને સવારે એક સાથે લેવાથી પેટમાં બળતરા અને એસિડિટી વધી શકે છે.

