September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ બુધવારે મહારાષ્ટ્રની વિવિધ આરટીઓ ઓફિસના અધિકારીઓને ઈન્ટરસેપ્ટર વાહનોનું વિતરણ કરવા માટે કથિત રીતે લાંચ લેવા બદ્દલ ત્રણ મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટર સામે ગુનો નોંધ્યો છે. 

આ સંદર્ભે એસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં કામ કરતા આરોપી અધિકારીઓએ મહારાષ્ટ્રના દરેક જિલ્લાના પ્રાદેશિક પરિવહન કચેરીઓ પાસેથી કથિત રીતે વાહન દીઠ ૨૫ હજાર રૃપિયા વસૂલ્યા હતા. આ કેસમાં હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર મુંબઈ ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં કામ કરતા મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટર પરિક્ષિત પાટીલ. સંતોષ કાથાર અને ધનરાજ શિંદે આ ત્રણેય આરોપી અધિકારીઓ રોડ સેફ્ટી ફંડમાંથી ખરીદવામાં આવેલ ૧૮૭ ઈન્સ્પેક્ટર સ્કોર્પિયો ક્લાસિક વાહનો ખરીદવા માટે રચાયેલી સમિતિના સભ્યો હતા. બાદમાં આ લોકોને આ વાહનોનું વિતરણ મહારાષ્ટ્રની વિવિધ આરટીઓ કચેરીમાં વિતરિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જુલાઈ મહિના બાદ વાહનોનું વિતરણ શરૃ કરવામાં આવ્યું હતું પણ આ ત્રણેય આરોપીઓએ સાધન સામગ્રી પુરી પાડવાના નામે વાહનદીઠ રૃા. ૨૫ હજાર વસૂલ્યા હતા. આ રીતે આરોપીઓએ કથિત રીતે ૪૬.૭૫ લાખનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.

આ બાબતે અમરાવતી જિલ્લામાં તૈનાત એક મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટરે તેમની વિરુદ્ધ ફરિયાદ સાથે એસીબીનો સંપર્ક કર્યો હતો. પ્રારંભિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણેય શખ્સોએ વાહનોની એસેસરીઝ આપવાના નામે આ પૈસા વસૂલ્યા હતા. 

આ વાતની ખરાઈ થયા બાદ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us