
મરીન ડ્રાઈવથી પાલઘર દરમિયાન વિવિધ સીલિન્ક પ્રકલ્પના કામને ઝડપ મળી છે. આગામી થોડા વર્ષમાં આ પ્રકલ્પ ઊભા થઈ જશે. એ પછી મરીન ડ્રાઈવથી પાલઘર એકથી સવા કલાકમાં થોભ્યા વિના પહોંચવું શક્ય થશે. સીલિન્ક શ્રેણીમાં ઉત્તન-વિરાર સીલિન્કના પ્રસ્તાવને ટૂંક સમયમાં ગ્રીન સિગ્નલ મળે એવા ચિહ્ન છે. આગળથી વિરારથી પાલઘર સીલિન્ક બાંધવાનું પ્રસ્તાવિત છે. વિરાર-પાલઘર સીલિન્કની સુસાધ્યતા તપાસવાનું કામ અત્યારે એમએમઆરડીએ દ્વારા ચાલી રહ્યું છે. એટલે દક્ષિણ મુંબઈથી ગુજરાત તરફ જતો વાહનવ્યવહાર ઝડપી થશે.
મહાપાલિકાએ બાંધેલો મરીન ડ્રાઈવથી વરલી કોસ્ટલ રોડ વાહનવ્યવહાર માટે શરૂ થયો છે. બાન્દરા-વરલી સીલિન્ક પહેલાંથી જ ચાલુ છે. હાલની સ્થિતિમાં એમએસઆરડીસી તરફથી બાન્દરાથી વર્સોવા સીલિન્કનું કામ ચાલુ છે. આગળ વર્સોવાથી ભાયંદર કોસ્ટલ રોડ બાંધવાનું કામ મહાપાલિકાએ હાથમાં લીધું છે. એમાં કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે. આગામી થોડા મહિનામાં જમીન પરના કામની શરૂઆત થઈ જશે. ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ એમએમઆરડીએએ હાથમાં લીધો છે. એને પ્રાધિકરણની બેઠકમાં માન્યતા આપવામાં આવી છે.

આ પ્રકલ્પનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે. મંજૂરી પછી આ પ્રકલ્પ માટે વિદેશી નાણાં સંસ્થા પાસેથી લોન ઊભી કરવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવશે. કેન્દ્રની મંજૂરી મળતા જ આ પ્રકલ્પના કામ માટે કોન્ટ્રેક્ટર નિમવામાં આવશે. તેથી આગામી વર્ષોમાં આ સીલિન્ક બાંધવાનું કામ પણ શરૂ થશે. ઉત્તનથી વિરાર સીલિન્કના લીધે દક્ષિણ મુંબઈથી સીધા વિરાર સુધી વિના અડચણ પહોંચવું શક્ય થશે. એમાંથી નરિમાન પોઈંટથી વિરાર પહોંચવા ફક્ત એક કલાકનો સમય લાગશે.
પ્રકલ્પનો ફાયદો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસ.વી. રોડ અને લિન્ક રોડ જેવા મુખ્ય રસ્તાઓ પરથી વાહનવ્યવહારનો તાણ ઓછો થતા ટ્રાફિકજામ દૂર થશે. એના લીધે પ્રવાસનો સમય ઓછો થશે. રસ્તા અકસ્માત ઓછા થશે. ઉપરાંત ધ્વનિ અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થતા નાગરિકોના જીવનમાં સુધારો થશે.

પ્રકલ્પની વિગત પ્રકલ્પની કુલ લંબાઈ 55.12 કિલોમીટર છે. ઉત્તનથી વિરાર સીલિન્કની લંબાઈ 24.35 કિલોમીટર છે. એના અંતર્ગત વિરાર કનેક્ટર 18.95 કિલોમીટર લાંબો, ઉત્તન કનેક્ટર 9.32 કિલોમીટર લાંબો અને વસઈ કનેક્ટર 2.5 કિલોમીટર લાંબો છે. આ પ્રકલ્પ માટે કુલ ખર્ચ 87 હજાર 427 કરોડ રૂપિયા અપેક્ષિત છે.
