September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

*ઘાટકોપરમાં કોઈ ભૂખ્યું નહીં સુવે… હેપીનેસ ફાઉન્ડેશન- સર્વમંગલ ટ્રસ્ટ અમેરીકાના સહયોગે અનોખી પહેલ

*હેપીનેસ ફાઉન્ડેશન- સર્વમંગલ ટ્રસ્ટ અમેરીકાના સહયોગે એમ.એલ.એ શ્રી પરાગ શાહની ટીમ જમાડશે*

દરેક ભૂખ્યાં જીવને ભોજન અને તરસ્યાને પાણી મળી રહે એવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરુણા ભાવનાથી ઘાટકોપરના આંગણે દરરોજ હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ગરમાગરમ સાત્વિક ભોજન અર્પણ કરવાના પારમાર્થિક પ્રકલ્પ ‘ગુરુ પ્રસાદ’નું શુભારંભ સ્વરૂપ ઉદઘાટન સમારોહનું આજે 16th જૂન, 2024 સવારના 9:30 કલાકે આયોજન કરવામાં આવેલ છે.

વિડીયો જોવા લીંક પર ક્લિક કરો… https://www.facebook.com/100000616600909/videos/1152769006009383/

ઘાટકોપરમાં કોઈ ભૂખ્યું નહીં સુવે એવા સંકલ્પ સાથે દરરોજના હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ગરમ ભરપેટ ભોજન કરાવીને એમની ક્ષુધા તૃપ્તિ કરવાની પરમ ગુરુદેવની પ્રેરણાએ સર્વમંગલ ટ્રસ્ટ યુ.એસ.એ સ્થિત શાહ હેપીનેસ ફાઉન્ડેશનના શ્રી રીકાબેન મનુભાઈ શાહની ઉદાર ભાવનાના સંયોગે માનવતાના આ મહા પ્રકલ્પનો શુભારંભ ન માત્ર હજારો ક્ષુધાતુર ભાવિકોને શાતા – સમાધિ આપવાનું નિમિત્ત બનશે પરંતુ સમગ્ર સમાજ માટે જીવદયા-માનવતા અને સત્કાર્યોનું એક નવું દિશાચિન્હ બની રહેશે.

પારસધામ ઘાટકોપર દ્વારા સંચાલિત થનારા આ મહા પ્રકલ્પ અંતર્ગત ભાવિકોને ભોજનના વિતરણની વ્યવસ્થા ઘાટકોપરના એમ.એલ.એ શ્રી પરાગ શાહ દ્વારા કરવામાં આવશે એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આજે 16th જૂનના રવિવારે સવારે 9:30 કલાકે “ગુરુ પ્રસાદ” પ્રકલ્પનો ઉદઘાટન સમારોહ પારસધામ, વલ્લભ ભાગ લેન, તિલક રોડ, ઘાટકોપર – ઇસ્ટ, મુંબઈ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે સમાજના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us