મુલુંડ સ્ટેશનની ઈસ્ટ બાજુએ પોલીસચોકીથી થોડે દૂર આવેલી પાંચ દુકાનનાં શટર તોડવા ઉપરાંત જાણીતા હનુમાન મંદિરનો દરવાજો તોડીને ચોરોએ આશરે ૫૧,૦૦૦ રૂપિયાની લૂંટ કરી હોવાની ફરિયાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે નોંધાઈ હતી. આ ચોરીની માહિતી મળ્યા બાદ મુલુંડ ટ્રેડર્સ અસોસિએશનના પદાધિકારીઓએ સિનિયર પોલીસ અધિકારીઓને મળીને યોગ્ય ઉપાય કરવા માટેની વિનંતી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મુલુંડ-ઈસ્ટમાં સ્ટેશન આવેલા હનુમાન મંદિરમાં બુધવારે સવારે ચોરીની પ્રથમ ઘટના સામે આવી હતી એમ જણાવતાં નવઘર પોલીસ- સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર મંદિરમાંથી આશરે ૧૫,૦૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ અમે નોંધી છે. ત્યાર બાદ મંદિરની આજુબાજુમાં આવેલી બીજી પાંચ દુકાનમાંથી આશરે ૩૬,૦૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળતાં અમે જૉઇન્ટ ફરિયાદ આ કેસમાં નોંધી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw