મુંબઈ પહેલી વખત આવનાર પર્યટક મરીન ડ્રાઈવની પાળીએ બેસવાનો, ત્યાં ફરવાનો આનંદ લેતો જ હોય છે. હવે મરીન ડ્રાઈવ જેવી વધુ એક ચોપાટી રાજ્ય સરકાર મુંબઈમાં ઊભી કરશે. નીતી આયોગની બેઠકમાં ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ વિશે માહિતી આપી હતી. શહેરનું સૌંદર્ય હજી વધે અને મુંબઈગરાઓને એક નવું પર્યટન સ્થળ મળે એ દષ્ટિએ બીજી એક મરીન ડ્રાઈવ જેવી ચોપાટી બનાવવામાં આવશે.

મુંબઈમાં બોમ્બે પોર્ટ ટ્રસ્ટની છ એકર જમીનનો ઉપયોગ કરીને ત્યાં મરીન ડ્રાઈવ જેવી ચોપાટી થાય એવી રાજ્ય સરકારની ઈચ્છા છે. આ જ પ્રકલ્પ માટે રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી મદદ મળે એવી માગણી તેમણે કેન્દ્રની નીતી આયોગની બેઠકમાં કરી હતી. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. એના સૌંદર્યીકરણમાં વધારો થાય એ માટે આ પ્રકલ્પ છે.

અત્યાર રેસકોર્સની જગ્યામાં પણ મુંબઈગરાઓ માટે એક મોટો પાર્ક ઊભો કરવામાં આવશે. મુંબઈ જેવા શહેરમાં પર્યટકોની સંખ્યા વધશે એવો રાજ્ય સરકારને વિશ્વાસ છે. પાયાભૂત સુવિધાઓને વધુ ઝડપ મળે, થાણે અંતર્ગત મેટ્રો પ્રકલ્પને કેબિનેટની અંતિમ મંજૂરી મળે તેમ જ લાખો રહેવાસીઓને રાહત આપવાનો ઉદ્દેશ છે.

દહિસર, અંધેરીના પુનર્વિકાસ પ્રકલ્પ માટે ફનલ ઝોન શિફ્ટ કરવો એવી માગણી પણ શિંદેએ બેઠકમાં કરી છે.

ઝૂપડપટ્ટી, જર્જરિત ઈમારતોનો પુનર્વિકાસ

ક્લસ્ટર ડેવલપમેંટના માધ્યમથી મુંબઈ મહાનગર પરિસર ક્ષેત્રમાં જૂની અને જર્જરિત થયેલી ઈમારતો માટે મોટા પ્રમાણમાં પુનર્વિકાસ યોજના ચાલુ કરવામાં આવી છે. આ એશિયાનો સૌથી મોટો બ્રાઉનફિલ્ડ પ્રકલ્પ છે. આ યોજના આપણા નાગરિકોની લાઈફસ્ટાઈલ ઉંચે લાવવા ઉપયોગી બનશે. મુંબઈની ઝૂપડપટ્ટીઓ અને જર્જરિત થયેલી ઈમારતોનો પુનર્વિકાસ રાજ્ય સરકારની સંસ્થા મારફત કરવામાં આવશે. આ સંસ્થાઓ મારફત બે લાખ કરતા વધુ ઘર બાંધવાની પ્રક્રિયા ચાલુ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us