
ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધજન્ય સ્થિતિ સર્જાતા સલામતીના કારણસર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલ અને પૂજા સામગ્રી લઇ જવા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે. જો કે નાળિયર લઇ જવા પર બંધી યથાવત રાખવામાં આવી છે. સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને ફૂલહાર અને પેડાનો પ્રસાદ અને પૂજાની સામગ્રી લઇ જવાની છુટ આપવામાં આવી છે. જ્યારે નાળિયર લઇ જવા પરનો પ્રતિબંધ હજી થોડા દિવસ અમલમાં રહેશે.

મંદિરની બહાર ફૂલહાર અને પ્રસાદ વેંચતા સ્ટોલધારકોએ પૂજાની સામગ્રી પરની બંધી ઉઠાવી લેવાની માગણી કરી હતી. આખરે દસ દિવસ બાદ આ વિક્રેતાઓની સિધ્ધિવિનાયક ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકર સાથે બેઠક યોજવા બાદ વિક્રેતાઓને શરતી પરવાનગી આપવામાં આવી હતી. સિદ્ધિવિનાયક મંદિર આતંકવાદીઓના ટાર્ગેટ પર છે અને અગાઉ પણ મંદિરને ધમકી મળી ચૂકી છે એટલે મંદિરની ફરતે જડબેસલાખ સલામતી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
