
મંત્રાલયના પુનર્વિકાસનો પ્રકલ્પ છેલ્લા અનેક વર્ષથી રખડી પડ્યો છે ત્યારે હવે મંત્રાલયની નજીક મંત્રાલય એનેક્સની પાંચ માળાની નવી ઈમારત બાંધવામાં આવશે. 110 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારી આ ઈમારતમાં 20 મંત્રીઓને આધુનિક અને સુસજ્જ કાર્યાલય ઉપલબ્ધ થશે. ઉપરાંત આગંતુકો માટે પણ સગવડો હશે.
નવી ઈમારતના બાહ્ય સ્વરૂપ અત્યારની મંત્રાલયની ઈમારત સાથે સુસંગત હશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળમાં બંને ઉપમુખ્યમંત્રીઓ સહિત અત્યારે 40 મંત્રી છે. આ પહેલાંની ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સરકારમાં મંત્રીમંડળની કેટલીક સીટ વિસ્તરણ માટે બાકી રાખવામાં આવી હતી. એટલે મંત્રીમંડળમાં ઓછા મંત્રીઓ હોવાથી એમાંના મોટા ભાગના મંત્રીઓએ અન્યોના કાર્યાલય લીધા હતા. એ આગળ એમ જ રહ્યા હતા. નવેમ્બર 2024માં સત્તા પર આવેલી મહાયુતી સરકારમાં મંત્રીઓની સંખ્યા 40 પર પહોંચી.

મંત્રીઓની મહત્તમ સંખ્યા લગભગ પૂરી થઈ હોવાથી અનેક રાજ્ય મંત્રીઓ માટે મંત્રાલયમાં કાર્યાલય બચ્યા નથી. કેટલાક મંત્રીઓને વિધાનભવનમાં તો કેટલાકને કેબિનેટ અને રાજ્યમંત્રીઓને મંત્રાલયની વિસ્તારિત ઈમારતના સાતમા માળે જગ્યા આપવામાં આવી. મંત્રીઓના કાર્યાલય મંત્રાલયની બહાર જવાથી એની અસર વિભાગના કામકાજ પર થવા માંડી છે. તેથી કેટલાક રાજ્યમંત્રીઓ તરફથઈ સુવિધાઓવાળા કાર્યાલય મળવા જોઈએ, રાજ્યના ખૂણેખાંચરેથી તેમને મળવા આવનાર જનતાને બેસવા માટે પૂરતી સીટ હોવી જોઈએ એવી માગણી કરવામાં આવતી હતી.આ માગણીનો વિચાર કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સાર્વજનિક બાંધકામ વિભાગને મંત્રીઓ માટે સુસજ્જ ઈમારત બાંધવાનું લક્ષ્ય આપ્યું.
નવી ઈમારતની વિશિષ્ટતા
પ્રી કેબ જેવી આધુનિક ટેકનોલોજીથી સિમેન્ટ અને સ્ટીલના મિશ્રણથી પર્યાવરણપૂરક ઈમારત વિક્રમજનક સમયમાં ઊભી રહેશે. ઈમારતના દરેક માળે ચાર મંત્રી કાર્યાલય અને તેમના કર્મચારીઓ માટે કાર્યાલય હશે. મંત્રીઓને સરકારી બેઠક લેવા માટે દરેક માળે બેઠક કક્ષ હશે. ભોંયતળિયે આગંતુકો માટે ચાનાસ્તાની સુવિધાવાળું કોફી હાઉસ હશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
