
પાકિસ્તાનની અંદર સરહદ પાર હવાઈ હુમલાઓ સાથે સંકળાયેલ ઓપરેશન સિંદૂર કદાચ મુલતવી રાખવામાં આવ્યું હશે, પરંતુ પાકિસ્તાનની મદદથી ખીલી રહેલા આતંકવાદીઓને ભાગવાનો મોકો મળશે નહીં. ભારતીય સેનાએ લશ્કર આતંકવાદીઓને ખતમ કરવા માટે ‘ઓપરેશન કેલર’ નામનું ઓપરેશન શરૂ કર્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેના પ્રાયોજિત આતંકવાદીઓને પાઠ ભણાવ્યા બાદ, ભારતીય સેનાએ વધુ એક ઓપરેશન શરૂ કર્યું છે. માત્ર 48 કલાક પહેલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો, જ્યારે ભારતીય સેનાનું વધુ એક ઓપરેશન આતંકવાદીઓ માટે ઘાતક બન્યું. સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જો હવે કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને ‘યુદ્ધનું કૃત્ય’ ગણવામાં આવશે. અહીં, સેનાએ દેશની અંદર છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવાના કાર્યક્રમને વધુ તીવ્ર બનાવ્યો છે. આવી સ્થિતિમાં, એ સમજવું રસપ્રદ છે કે ઓપરેશન કેલર શું છે?
OPERATION KELLER
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 13, 2025
On 13 May 2025, based on specific intelligence of a #RashtriyasRifles Unit, about presence of terrorists in general area Shoekal Keller, #Shopian, #IndianArmy launched a search and destroy Operation. During the operation, terrorists opened heavy fire and fierce… pic.twitter.com/KZwIkEGiLF

થોડા કલાકો પહેલા, જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં એક એન્કાઉન્ટર દરમિયાન, ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ઓપરેશનલ કમાન્ડર સહિત 3 ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ‘શોધો અને ખતમ કરો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેલર ગામના શુકરુના જંગલોમાં છુપાયેલા હતા. પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. કેલ્લર અથવા કેલર ગામ શોપિયાં જિલ્લામાં છે.
શાહિદ કુટ્ટેનું કામ તમામ
13 મે 2025ના ગુપ્ત માહિતી મળવા પર રાષ્ટ્રીય રાઇફલ્સના યુનિટે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન લોન્ચ કર્યું. ભારતીય સેનાના ઓપરેશન કેલર માટે એક્શનવાળો એક ફોટો પણ જારી કર્યો છે. ભારતીય સેનાએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન આતંકીઓએ ભારે ફાયરિંગ શરૂ કર્યું, સેનાએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઢેર કર્યાં હતા. તેમાં લશ્કર-એ-તૈયબાનો ઓપરેશન ચીફ શાહિદ કુટ્ટે પણ સામેલ હતો.
શાહિદ ચોટીપોરા હીરપોરા (શોપિયાં) નો રહેવાસી હતો. તે મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક હતો, જે 8 માર્ચ 2023ના આતંકી સંગઠનમાં સામેલ થયો હતો. સૂત્રો પ્રમાણે તે કેટેગરી-એનો આતંકી હતો. ઘણા આતંકી હુમલામાં તેનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. તે 08 એપ્રિલ 2024 ના રોજ ડેનિશ રિસોર્ટમાં ગોળીબારની ઘટનામાં પણ સામેલ હતો, જેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા. આ ઉપરાંત, તે 18 મે 2024ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં પણ સામેલ હતો. ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કુલગામના બેહીબાગ ખાતે ટીએ કર્મચારીઓની હત્યામાં પણ તે સામેલ હોવાની શંકા છે.

કેટેગરી-સીનો બીજો આતંકી
બીજા આતંકીની ઓળખ અદનાન શફી ડાર પુત્ર મોહમ્મદ શફી ડાર નિવાસી વંડુના મેલહોરા, શોપિયાંના રૂપમાં થઈ છે. તે 18 ઓક્ટોબર 2024ના લશ્કર-એ-તૈયબામાં સામેલ થયો હતો અને કેટેગરી-સીનો આતંકી હતો. તે 18 ઓક્ટોબર 2024ના શોપિયાંના વાચીમાં બિન-કાશ્મીરી મજૂરની હત્યામાં સામેલ હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
