મહારાષ્ટ્રમાં વધતી જતી ટ્રાફિક ભીડ અને પ્રદૂષણની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે 9 માર્ચથી સમગ્ર મહારાષ્ટ્રમાં નવી ઓટો રિક્ષા માટે પરમિટ આપવાનું સ્થગિત કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી રિક્ષા વ્યવસાયમાં ભારે હલચલ મચી ગઈ છે. સ્વરોજગાર અને ઓટો રિક્ષા લાઇસન્સ માટે અરજી કરનારાઓને આંચકો લાગ્યો છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે સ્થાનિક પરિસ્થિતિઓના આધારે 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઓટો રિક્ષા લાઇસન્સ અંગે નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારને છે. પરિવહન પ્રધાનના કેન્દ્ર સરકાર સાથેના પત્રવ્યવહાર બાદ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્ય સરકારને એક સત્તાવાર પત્ર દ્વારા ‘મોટર વાહન અધિનિયમ 2019’ હેઠળ તેમની પાસે આ અધિકાર હોવાની જાણ કરી છે.

આ સમયે પરિવહન પ્રધાને એક ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોર્યું હતું. “હાલમાં, રાજ્યમાં લગભગ 14 લાખ રિક્ષા લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ એક જ ઘરમાં અનેક લાઇસન્સ જારી કરવામાં આવ્યા હોવાની ફરિયાદો મળી છે.
માત્ર આટલું જ નહીં, કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે રીતે લાઇસન્સ આપવામાં આવ્યા હોવાની અમને ફરિયાદો મળી છે.” પ્રધાને કહ્યું. આ સંદર્ભમાં, સરકાર માને છે કે લાઇસન્સનું પુનર્ગઠન કરવું જરૂરી છે.
આ સ્થગતી કાયમી નથી, અને રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં નવી રિક્ષાઓને કયા માપદંડો પર લાઇસન્સ આપવામાં આવે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. પ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે ‘છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી’ સુધારવા અને પરિવહન વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે ટૂંક સમયમાં એક નવી નીતિ ઘડવામાં આવશે.

રાજ્યના નાગરિકોને સરળ અને પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાઓ પૂરી પાડવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પરિવહન વિભાગે જણાવ્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
