ઘાટકોપરમાં હોર્ડિગ તૂટવાની દુર્ઘટના પછી રેલવે હદમાં 40 બાય 40 સ્કવેર ફૂટ કરતા મોટા હોર્ડિંગ તરત હટાવવા એવી નોટિસ મહાપાલિકાએ 15 મેના રેલવેને બજાવી હતી.
રેલવેની હદમાં જાહેરાત હોર્ડિંગને મુંબઈ મહાપાલિકાના નિયમ લાગુ કરવા અને હોર્ડિંગ્સ હટાવવા રેલવે પ્રશાસને સ્પષ્ટ નકાર આપ્યો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ બેઠકમાં રેલવે અને મહાપાલિકાના અધિકારીઓ વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. તેથી હવે આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ઉકેલાશે એમ સ્પષ્ટ થયું છે.
ઘાટકોપરમાં હોર્ડિગ તૂટવાની દુર્ઘટના પછી રેલવે હદમાં 40 બાય 40 સ્કવેર ફૂટ કરતા મોટા હોર્ડિંગ તરત હટાવવા એવી નોટિસ મહાપાલિકાએ 15 મેના રેલવેને બજાવી હતી. રેલવેએ આ નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. એના પર કોર્ટે મહાપાલિકાના ધોરણ અનુસાર હોર્ડિંગની સાઈઝ વગેરે બાબતોનું રેલવેએ પાલન કરવું પડશે એવો સ્પષ્ટ આદેશ 10 જુલાઈના આપ્યો હતો અને બેઠક લઈને રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરવી એવી સૂચના મહાપાલિકાને આપી હતી. એ અનુસાર મધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓની મહાપાલિકા મુખ્યાલયમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં પ્રાધિકરણના અધ્યક્ષ અને મુંબઈ મહાપાલિકા અતિરિક્ત આયુક્ત (શહેર) અશ્વિની જોશી, અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પૂર્વ ઉપનગરો) અમિત સૈની સહિત મધ્ય અને પશ્ચિમ રેલવેના વિભાગીય વ્યવસ્થાપક, પરિવહન પોલીસ વગેરે ઉપસ્થિત હતા.
આ સમયે મહાપાલિકા અને રેલવેના પ્રતિનિધિઓ વચ્ચે વિવાદ થયો હતો. હોર્ડિંગની સાઈઝ પર નિયંત્રણ હોવું જોઈએ એવી ભૂમિકા મહાપાલિકાએ લીધી હતી. જો કે અમારા અધિકાર ક્ષેત્રમાં અમારું ધોરણ લાગુ થશે એવો દાવો રેલવે પ્રશાસને કર્યો હતો. આખરે ઘાટકોપર દુર્ઘટના પછી આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે કાઢેલી નોટિસ લાગુ કરવાનો બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો. જાહેરાત ધોરણ આવે ત્યાં સુધી આ જ નોટિસ તમામ પ્રાધિકરણને લાગુ રહેશે એમ પણ નક્કી થયું. બેઠકની વિગતવાર માહિતી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય મહાપાલિકા પ્રશાસને લીધો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw