
મહારાષ્ટ્ર કેબિનેટે સરકાર દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ને વૈશ્વિક શ્રેષ્ઠતાના કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાના હેતુથી નવી જાહેર-ખાનગી ભાગીદારી નીતિને મંજૂરી આપી હતી. આ નીતિ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગની માગણીને અનુરૂપ અત્યાધુનિક કૌશલ્યોથી સજ્જ કરવાનો અને રોજગાર બજારમાં તેમની રોજગારક્ષમતા સુધારવાનો પ્રયાસ કરે છે, કૌશલ્ય વિકાસ પ્રધાને કેબિનેટની બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું.
નવી નીતિ અભ્યાસક્રમ વિકાસ, માળખાગત સુવિધાઓના સુધારા અને અદ્યતન તાલીમ તકનીકોની જોગવાઈમાં ખાનગી ક્ષેત્રના સહયોગ દ્વારા આઈટીઆઈનું આધુનિકીકરણ કરવાની કલ્પના કરે છે. તે અગ્રણી કોર્પોરેટ્સ, ઔદ્યોગિક સંગઠનો અને પરોપકારીઓને સરકાર સાથે ભાગીદારી કરવા, તાલીમ સુવિધાઓમાં રોકાણ કરવા અને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલ દ્વારા ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે, એમ તેમણે ઉમેર્યું.

બે લાખથી વધુ આઈટીઆઈના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સંબંધિત તાલીમનો લાભ મળશે. નવી મંજૂર નીતિ નવીન, અદ્યતન અભ્યાસક્રમ રજૂ કરશે અને આપણા યુવાનોને વૈશ્ર્વિક રોજગારની તકો સાથે જોડશે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ ખાનગી ભાગીદારોને સરકારી ખરીદી પ્રક્રિયાઓના અવરોધો વિના માળખાગત સુવિધાઓ, તાલીમ સાધનો અને અભ્યાસક્રમ વિતરણમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે.
જોકે, જમીન અને ઇમારતોની માલિકી સરકાર પાસે રહેશે, અને પ્રશિક્ષકો સહિત હાલના સ્ટાફને જાળવી રાખવામાં આવશે. ઉદ્યોગ ભાગીદારો દ્વારા નવા અભ્યાસક્રમો માટે વધારાના ફેકલ્ટીની નિમણૂક કરી શકાય છે. પ્રથમ તબક્કામાં, સરકાર ઓછામાં ઓછા પચીસ આઈટીઆઈ પસંદ કરવાની અને પાયલોટ પરિણામોની સમીક્ષા કર્યા પછી તેમની સંખ્યા 100 સુધી વધારવાની યોજના ધરાવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
