
ચોમાસા પહેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સહિત પંપિગ સ્ટેશનમાં સમારકામ કરવાના હોવાથી થાણે શહેરમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ થાણે મહાનગરપલિકાના પાણીપુરવઠા યોજના અંતગર્ત પિસે પંપિગ સેન્ટર અને ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં ચોમાસા પહેલા અમુક સમારકામ કરવાની સાથે કંટ્રોલ પૅનલનું સમારકામ તેમ જ ટ્રાન્સફોર્મર ઓઈલ સહિતના કામ કરવામાં આવવાના છે.

તેથી બુધવાર ૨૧ મે, ૨૦૨૫ના સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કુલ ૧૨ કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.
થાણે મહાનગરપાલિકામાં આવતા ઘોડબંદર રોડ, વર્તક નગર, ઋતુ પાર્ક, જેલ, ગાંધી નગર, રુસ્તમજી, સિદ્ધાંચલ, સમતા નગર, ઈન્ટરનિટી, જૉન્સન અને કલવાના વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
