અખરોટ એક સુપરફુડ છે જે હાર્ટ અને મગજ માટે લાભકારી છે. પરંતુ અખરોટ દરેક વ્યક્તિને લાભ જ કરે તે જરૂરી નથી. કેટલાક લોકોની હેલ્થ પર અખરોટ નેગેટિવ અસર પણ કરી શકે છે. તો ચાલો જાણીએ કયા લોકોને અખરોટ લાભને બદલે નુકસાન કરી શકે છે.
અખરોટ એક સુપરફૂડ ગણાય છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઇબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને સ્કીનને પણ ફાયદો થાય છે. અખરોટ નાના-મોટા સૌ કોઈ ખાઈ શકે છે. પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશનમાં અખરોટ ખાવા હાનિકારક સાબિત થઈ શકે છે.
જે રીતે દરેક ફૂડ આઈટમ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી તે રીતે અખરોટ પણ કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક લોકોની હેલ્થ પર અખરોટના કારણે ખરાબ અસર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ અખરોટ ખાવાનું કોણે ટાળવું જોઈએ.

?
અખરોટ કોણે ન ખાવા ?
– જો કોઈ વ્યક્તિને નટ્સ એલર્જી હોય તેમના માટે અખરોટ હાનિકારક સાબિત થઈ શકે છે. અખરોટ ખાધા પછી ખંજવાળ, રેશિસ, ગળામાં સોજા, શ્વાસની સમસ્યા જેવી તકલીફ થઈ શકે છે.
– અખરોટ ફાઇબરથી ભરપૂર હોય છે પરંતુ તેને વધારે માત્રામાં લેવાથી ગેસ, બ્લોટીંગ, પેટમાં દુખાવો અને પાચન સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે. જે લોકોને ઈરિટેબલ બાઉલ સિન્ડ્રો હોય અથવા તો જેની પાચનશક્તિ પહેલાથી જ નબળી હોય તેમણે અખરોટનું સેવન મર્યાદિત માત્રામાં કરવું.
– ઓમેગા 3 એસિડ લોહી પાતળું કરે છે જે લોકોને લોહી ન જમવાની સમસ્યા હોય અથવા તો બ્લડિંગ ડીસઓર્ડર હોય તેમણે અખરોટ ખાવાનું ટાળવું જોઈએ કારણકે તેનાથી બ્લીડિંગ થવાનું જોખમ વધી જાય છે.
– જે લોકોનું ઓપરેશન થવાનું હોય તેમણે ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલાથી અખરોટ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે અખરોટ લોહીને પાતળું કરે છે સર્જરી દરમિયાન તેના કારણે લોહી વધારે વહી જાય તો જટિલતા સર્જાઈ શકે છે.

– અખરોટ હેલ્થી ફેટથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી પણ વધારે હોય છે જે લોકો વેઈટ લોસ ડાયટ પર હોય તેમણે ગણતરી વિના અખરોટ ખાવા નહીં તેનાથી વજન વધી શકે છે.
– અખરોટમાં ઓક્સાલેટ હોય છે જે કિડની સ્ટોન વધારી શકે છે. જે લોકોને પહેલાથી જ સ્ટોનની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ અખરોટ ખાવા.
– અખરોટ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે પરંતુ વધારે માત્રામાં અખરોટ ખાવાથી કેલરી ઓવરલોડ થઈ જાય છે જેના કારણે બ્લડ સુગર લેવલનું સંતુલન બગડી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
