મુલુંડ પૂર્વમાં મુલુંડ જકાત નાકા પાસે ઐરોલી-મુલુંડ લિંક રોડનો સમાવેશ
BMCએ કામચલાઉ વ્યવસ્થા તરીકે મુંબઈમાં ચાર જગ્યાએ સવારના સાતથી નવ વાગ્યા સુધી કબૂતરોને કંટ્રોલ ફીંડિંગ માટે મંજૂરી આપી છે અને તેના સંચાલન માટે સ્વંયસેવી સંસ્થાને આગળ આવે તો જ મંજૂરી આપવાની શરત રાખી છે. જોકે છેલ્લા ચાર દિવસમાં એક પણ સંસ્થા તે માટે આગળ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.
કબુતરોને કારણે આરોગ્યને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના કબુતરખાના બંધ કરાવી દીધા છે. જોકે કોર્ટે કબુતરોને કંટ્રોલ ફીડિંગ મુજબ ચણ આપી શકાય તે માટે કામચલાઉ મંજૂરી આપી હતી. તે મુજબ પાલિકા દ્વારા મુંબઈમાં ચાર જગ્યા કબુતરો માટે કંટ્રોલ ફીડિંગ માટે જાહેર કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ મુંબઈમાં વરલી જળાશય,પશ્ર્ચિમ ઉપનગરમાંં વેસાવે એસટીપી પ્રોજેક્ટ નજીક, લોખંડવાલા બૅક રોડ પર મેનગ્રોવ્ઝ પરિસર, બોરીવલી પશ્ર્ચિમમાં ગોરાઈ મેદાનનો અને પૂર્વ ઉપનગરમાં મુલુંડ પૂર્વમાં મુલુંડ જકાત નાકા પાસે ઐરોલી-મુલુંડ લિંક રોડનો સમાવેશ થાય છે. આ ચાર ઠેકાણે કબુતરખાના માટે મંજૂરી આપવાનો વચગાળાનો નિર્ણય પાલિકાએ લીધો છે.

પાલિકાના જણાવ્યા મુજબ આ ચારે ઠેકાણે કબુતરોને સવારના સાતથી નવ વાગ્યા સુધી ચણ નાખવા માટે મંજૂરી આપી છે. ચારે જગ્યા પર કબુતરખાનાનું વ્યવસ્થાપન કરવા માટે સ્વયંસેવી સંસ્થા આગળ આવી તો જ આ મંજૂરી આપવામાં આવશે એવી શરત રાખી છે.
જોકે શુક્રવારે પાલિકાની જાહેરાત બાદ હજી સુધી કોઈ સામાજિક સંસ્થા આગળ આવી નથી. તો મુલુંડમાં તો કંટ્રોલ ફિડીંગ માટે જગ્યા આપવા સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ પણ દર્શાવ્યો છે. તેથી પાલિકાની કંટ્રોલ ફિડીંગની યોજના કેટલી સફળ થશે તેની સામે સવાલ થઈ રહ્યાં છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
