સુરક્ષાના ભાગરુપે આજે દેશના ઐતિહાસિક અને મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે આજે વ્યાપક મોકડ્રીલ યોજાઈ હતી. ગૃહ મંત્રાલયના નિર્દેશો પર આયોજિત આ રાષ્ટ્રવ્યાપી સુરક્ષા કવાયતનો ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષા દળોની તૈયારી અને સંકલનનું પરીક્ષણ કરવાનો હતો. સેન્ટ્રલ રેલવેએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સ (MSF) અને સિવિલ ડિફેન્સના સહયોગથી આ કવાયત સફળતાપૂર્વક હાથ ધરી. આ મોક ડ્રીલ માત્ર સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો જ નહીં, પરંતુ દેશ સંભવિત જોખમો પ્રત્યે કેટલો સતર્ક છે તે દર્શાવવાનો પ્રયાસ હતો.
આ મોક ડ્રીલ CSMTના વ્યસ્ત પ્લેટફોર્મ પર યોજાઈ હતી જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તેમની તૈયારીઓ દર્શાવવા માટે ભેગા થયા હતા. આ કવાયત દરમિયાન, RPF અને GRP ટીમો સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દરેક ટ્રેન, મુસાફરો અને તેમના સામાનની સંપૂર્ણ તપાસ કરતી જોવા મળી હતી.

એડિશનલ સિક્યોરિટી કમિશનર રણજિત કુમાર બેઝબરુઆએ જણાવ્યું હતું કે આ સંયુક્ત કામગીરી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હતી. દેશની વર્તમાન પરિસ્થિતિ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, અમે વધુ સાવચેતી રાખી રહ્યા છીએ. અમારી પાસે RPF, MSF અને અન્ય એજન્સીના લગભગ 100 કર્મચારી CSMT ખાતે સઘન તપાસમાં જોડાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
સુરક્ષા દળોએ સ્ટેશનના દરેક ખૂણાની સંપૂર્ણ તપાસ કરી. દરેક ટ્રેન અને મુસાફરોના સામાનનું સ્કેનિંગ કરવામાં આવ્યું, અને 22 સ્નિફર ડોગ્સની મદદથી શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી. આ કવાયતનો હેતુ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
